________________ રેમ ખ્રિસ્તિ થયું. 205 તેના ઉપર અંકુશ મેલવામાં આવતા. પરંતુ પ્રજાકીય રાજ-તંત્રની આંતરિક વ્યવસ્થા શહેનશાહતના સમયમાં ચાલી શકશે નહિ એ વાત જ્યારે સ્પષ્ટ થઈ, ત્યારે બદલાઈ ગએલા સમયને રાજકર્તાઓએ ખુલ્લા દિલથી સ્વીકારી લીધે અને રેમમાં સઘળા ધર્મોને સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. માત્ર ખ્રિસ્તિ ધર્મ જ તેમાંથી બહિષ્કાર પામે. તે પણ હજી એક બાબતમાં રેમ મક્કમ રહ્યું હતું. રેમવાસીઓ ગમે તે ધર્મ માને અને પાળે તેમાં રાજયને કાંઈ અડચણ નહોતી, પરંતુ પિતાના દેશમાં અપાતા બળીદાનમાં ભાગ લેવાનું અને બીજી કેટલીક ધાર્મિક ક્રિયા કરવાનું તેમને બંધન હતું. અને જે કાંઈ સતાવણી થઈ હોય તે આ બાબતને લઈને જ થઈ છે. એક લેખકના કહેવા પ્રમાણે રેમન લેકે પિતાના ધર્મના ત્રણ વિભાગ પાડતાઃ પુરાણ અથવા કથા-ભાગ; આ કથાએને તત્વચિંતકે જે ખુલાસે આપતા તે અથવા તેમના ઉપરથી જે સિદ્ધાંત બંધાતો તે; અને ક્રિયમાણ ભાગ અથવા રાજ્ય તરફથી જે ધાર્મિક ક્રિયાઓ થતી તે. પ્રથમ બેમાં લેકેના ઉપર કોઈ અંકુશ નહતા. પરંતુ ત્રીજો ભાગ સરકારે પિતાના હાથમાં રાખ્યો હતો અને તેમાં લેકેને બિલકુલ સ્વતંત્રતા નહોતી; કારણ કે જનસમૂહને એવો દઢ વિશ્વાસ હતો કે જે દેને સંતુષ્ટ કરવામાં ન આવે તે જરૂર રાજ્ય ઉપર સંકટ આવે જ, * અને આ બાબતમાં તત્ત્વચિંતકે પણ અનુમોદન આપતા હતા. વિધર્મીતત્વચિંતકે સત્ય-પ્રેમી હતા એ નિર્વિવાદ છે, પરંતુ જેને પોતે એક જાતને વેહેમ ગણતા હોય ત્યાં પિતાની હાજરીથી તેમાં સંમતિ આપવી એ એક પ્રકારનું ધાર્મિક જૂઠાણું છે એવા નીતિના સિદ્ધાંતથી તેઓ કેવળ અજ્ઞાત હતા. આ ધાર્મિક ક્રિયાઓ વખતે હાજર રહેવાની પોતાની ફરજ છે એમ સંશયાત્મવાદીઓ પણ સમજતા; અને સૈ કહેતા કે પિતાના દેશના રીતરીવાજને માન આપવાની દરેકની ફરજ છે. પરંતુ યાહુદી અને ખ્રિસ્તિઓને ત્યાં હાજરી આપવામાં એક જાતની છેતરપીંડી લાગતી, અને તેથી તેઓ જ માત્ર તે ક્રિયાઓમાં ભાગ લેતા નહિ. છતાં યાહુદીઓને આ બાબતમાં ઘણું કરીને સતાવવામાં આવ્યા નથી. વળી રેમના શહેનશાહ પણ દેવ