________________ રેમ ખ્રિસ્તિ થયું. ~~ ~-~~-~~~-~~-~- ~~ગુજારીને પણ મૂર્તિપૂજાને ઉછેદ કરે એ કર્તવ્ય છે અને તે દ્વારા બીજા ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા તેમનામાં આવી ગઈ. ઉપરાંત તેઓ એમ પણ માનતા કે પરલોકમાં નાસ્તિકની અધોગતિ એવી તે ભુંડી થાય છે કે તેની આગળ આ દુનિયાનું દુઃખ કાંઈ હિસાબમાં જ નથી. તેથી ગમે તે ઉપાયે પણ તેમની ભ્રાંતિ મટાડવી જ જોઈએ. જો કે પ્રસંગોપાત કેાઈ વ્યકિતના ખાનગી કારણોને લીધે આ જાતને જુલમ થયો હશે, તથાપિ એક દરે ધાર્મિક જુલમનાં આ કારણો સ્વાભાવિક છે, અને તેમનાથી તે જુલમનો ખુલાસો થઈ શકે છે. કેસ્ટન્ટાઇનના વખતમાં ખ્રિસ્તિ ધર્મ રાજ્યધર્મ થયો, અને આ જુલમની શરૂઆત પણ ત્યારથી જ થઈ. પછી જ્યારે બુદ્ધિ-સ્વાતંત્ર્યને પવન યુરોપમાં વાયો ત્યારે જ લેહીથી રક્ત બનેલી તલવાર ધર્મગુરૂઓના હાથમાંથી હેડી પડી. ધાર્મિક જુલમને સંપૂર્ણ ઈતિહાસ “યુરોપમાં બુદ્ધિ-સ્વાતંત્ર્યને ઉદય” એ નામના અન્ય પુસ્તકમાં અપાએલો છે. “અમારા ધર્મમાં જ સદ્ગતિ છે, અન્ય કોઈમાં નથી જ' એવી દઢ માન્યતાને લીધે જ આ ધાર્મિક જુલમ થયો છે એ નિઃસંશય છે. કેટલાક અર્વાચીન લેખકે અહીં પ્રશ્ન કરે છે કે વિધર્મીઓમાં એવી માન્યતા નહોતી છતાં તેમનામાં એ જુલમ કેમ થયો છે? તેનો જવાબ એટલે જ કે ધાર્મિક જુલમનાં ભિન્ન ભિન્ન કારણ હોય છે એ વાત પ્રથમ થી જ અમે કહી છે. ખ્રિસ્તિ ગુઓના સંબંધમાં ઉપરનાં કારણે સાચાં જ છે; પરંતુ વિધર્મીઓમાં તેનાં કારણે કાંઈક રાજકીય અને કાંઈક ધાર્મિક હતાં. પિતાનાં રાજ્ય અને સામાજીક સંસ્થાઓને સાચવી દઢ કરવાં એ ઉદ્દેશ ગ્રીક લેને મુખ્ય હતા; અને આ ઉદેશે નાની નાની બાબતમાં પણ લેકેના રીતરીવાજનું નિયમન રાજ્યના કાયદાથી થતું. વિદેશીય રીતરીવાજ પ્રત્યે તેમને અવિશ્વાસ અને અગમે હતા. વળી સુભાગ્ય કે દુર્ભાયુના દાતા દેવ હોવાથી, ધાર્મિક ક્રિયાઓ બરાબર ન થાય તે પિતાના શહેર ઉપર સંકટ આવે એવી તેમની માન્યતા હતી; અને ઉપરની વાતને ટેકારૂપ તે થતી. આવાં કારણોને લીધે ગ્રીક રાજ્યની અસહિષ્ણુતા વધી