________________ 200 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. પિતાની ઈચ્છા આચરે છે તે જાણશે કે તે સિદ્ધાંત પ્રભુને છે;” “આસ્થા વિના તમે સમજી શકશે નહિ;” ઈત્યાદિ વાક્યોથી, દુનિયા ઉપર ખ્રિસ્તિ ધર્મે પ્રથમ અસર કેવી ઉપજાવેલી હોવી જોઈએ તે જણાય છે. સઘળા મહાન ધર્મોની પેઠે, તે ધર્મ પણ મગજ કરતાં હૃદયની સાથે વધારે સંબદ્ધ હતે. મનુષ્ય જાતના આધ્યાત્મિક સ્વભાવ સાથે તેના ઉપદેશનું સાંગત્ય હતું એ જ તેની ફતેહનું મુખ્ય કારણ હતું. મનુષ્યોના હૃદયમાં તેનાં મૂળ ઉંડા સ્થાપિત થયાં તેનું કારણ એ છે કે જમાનાની નૈતિક ભાવનાનું યથાસ્થિત પ્રતિબિંબ તેમાં હતું, જમાનાને જેવા ઉપદેશની જરૂર હતી તેમજ ઉપદેશ એણે આવે; લેકેની ધાર્મિક તષા તેનાથી છીપે એમ હતું. આકર્ષણનાં આ બધાં તેની સાથે બીજા પ્રકારનાં આકર્ષણ પણ તેમાં હતાં. એ ધર્મને આધાર માત્ર નૈતિક ભાવના કે વિચારની વ્યવસ્થા કે ચમત્કારીક મનુષ્યોના સમુદાય ઉપર જ નહ; એ બધું તેમાં હતું, અને ઉપરાંત તેમાં વિશેષ પણ હતું; કારણ કે અપૂર્વ કુશળતા અને ચતુરાઈથી ઉપજાવેલી સંસ્થારૂપ એ ધર્મ હતો. તેથી એ ધર્મના અનુયાયીઓ ઉત્સાહી રહેતા, એવા કે પિતાની જીંદગીને ભેગ આપીને પણ પિતાને ધર્મ તે પાળતા. વિધર્મીઓની દેવપૂજામાં ધર્મ-શાંતિ ઘણું રહેતી, અને સે દેવ સરખા” એ સૂત્ર ઉપર લેકેને નિર્વાહ થતું. પણ ખ્રિસ્તિ ધર્મમાં આવી ધર્મ-શાંતિ બિલકુલ નહતી. પિતાનો જ ધર્મ ખરે છે, બીજા બધા ધર્મો પિશાચી છે અને તેમને નાશ કરવા પિતે જનમ્યો છે એમ દરેક ખ્રિસ્તિએ અવશ્ય માનવું જ જોઈએ એવો તે ધર્મને મુખ્ય ઉપદેશ હતો. આથી કરીને તે ધર્મને ઉત્સાહ આકરે, છીંડાં શોધ અને છતાં ઉત્તમ રીતે વ્યવસ્થિત હતા. અને અનેક પ્રકારની ધાર્મિક ક્રિયા અને વ્યવસ્થાથી આ આસ્થાનું દઢીકરણ થતું. ધર્મની બાબતમાં કેવળ આસ્થા જ ફળે છે એ સૂત્ર આગળ આવ્યું, અને તેથી ખ્રિસ્તિઓ એમ માનતા કે મુક્તિ તે માત્ર ખ્રિસ્તિ ધર્મથી જ મળે છે, તેથી ખ્રિસ્તિઓ બધા સ્વર્ગમાં જશે; બાકી બધા નરકમાં જશે. આ વાતથી લેકનાં મન ઉપર બહુ અસર થતી. ડહાપણુ, દયા, પ્રેમ અને સખ્તાઈ એ બધાં તો એક સાથે એ ધર્મમાં