________________ " રોમ ખ્રિસ્તિ થયું. 198 પણ મિસરને ધર્મ તે ઘણે વિજયી થયો હતો, અને હજાર તે પ્રતિ આકર્ષાતા હતા. તેથી મિસરના દેવોની પૂજા રોમમાં થવા લાગી અને લેકે મિસરમાં જાત્રાએ જવા લાગ્યાં. જોકે કેવળ વેહેમી અને ભોળા થઈ ગયા. દેવવાણુઓ જે ચૂપ થઈ ગઈ હતી તે પાછી સંભળાવા લાગી દરેક શહેરમાં જેશીઓ ઉભરાવા લાગ્યા; ચમત્કારીક કથાઓનું વાતાવરણ તત્ત્વદર્શીઓની આસપાસ બંધાવા લાગ્યું; અને ચારે તરફ ધાર્મિક વહેમોની જાળ પથરાઈ જવા લાગી. આમ દરેક સ્થળે માણસો પિતાના સ્થાનિક ધર્મથી અસંતુષ્ટ થઈ ધર્મભાવનાની તૃષાથી પીડાવા લાગ્યા અને કે નવીન ધર્મ ઉલટભેર શોધવા લાગ્યા. આ સમય આવતાં ખ્રિસ્તિ ધર્મ પિતાની સર્વોપરિ સત્તા સ્થાપી દીધી, કારણ કે એ ધર્મમાં સત્તા અને આકર્ષણનાં ભિન્ન ભિન્ન તો ઘણું હતાં. યાહુદીના ધર્મની પડે તેમાં સ્થાનિક બંધનો નહોતાં, અને તેથી દરેક પ્રજા અને તેમને તે અનુકૂળ થઈ પડ્યું. ઈક મતની પેઠે તેમાં લાગણીઓની અવગણના નહતી, તેથી સહૃદય ભકિતની પ્રબળ મોહીનિ તેમાં રહી હતી. મિસરના ધર્મમાં વ્યાવહારીક નીતિને અભાવ હતું, પણ આ ધર્મમાં વ્યવહારોપયોગી શુદ્ધ અને નિર્મળ નીતિને ઉપદેશ હતો. ચારે તરફથી સામાજીક અને પ્રજાકીય સેળભેળ થતી હતી તે વખતે સાર્વત્રિક ભ્રાતૃભાવની બાંગ એણે લલકારી. લેકમાં કમળ લાગણીઓ આવવા લાગી હતી, તે એણે પણ પ્રેમની અત્યંત પવિત્રતાને બંધ કર્યો. ઈશુખ્રિસ્તના જીવનમાંથી મળતા ઉપદેશને લીધે ગુલામોને તો એ ધર્મ એક મેટ આશિર્વાદ અને દલાસારૂપ થઈ પડે, અને ગુલામેનું જેર એ સમયે ઘણું હતું. સ્ટઈક મત અને પ્લેટોના મતનું તેમાં સંમિશ્રણ હોવાથી તત્ત્વદર્દીઓને પણ તે રૂ. ચમત્કારની વાતને લીધે સામાન્ય લેકને પણ તે ભાવતે થશે. કેની સમક્ષ પ્રેમ અને દયાનાં દ્રષ્ટિબિંદુ એણે આગળ ધ. ધર્મની મારામારી અને મતમતાંતરના ઝઘડા જ્યારે થતા હતા ત્યારે એણે એ ધર્મ આગળ કર્યો કે જેનું પ્રતિપાદન તર્કથી નહિ પણ આસ્થાચીજ થઈ શકે. " હૃદયવડે માણસ ધાર્મિકતા માને છે.” “જે મારાં