________________ રામ ખ્રિસ્તિ થયું. નસકોરામાંથી આ પ્રમાણે ભૂતને કાઢી મૂકયું હતું અને તેની ખાત્રી કરી આપવા તે ભૂવાના હુકમથી આઘે પડેલા પાણીને હાલ તે ભૂતે ઢળી નાખ્યો હતે. આ ચમત્કાર પિતે નજરે જોયાની સેકસ વાત કરે છે. નવીન ઑટેમત અને તેના જેવી બીજી ફિલસુફીઓને પ્રચાર રોમમાં વધી પડતાં આ માન્યતાને ટકે મળવા લાગ્યા, અને ભુવાઓ વધી પડયા, પરંતુ બીજા બધા કરતાં ખ્રિસ્તીઓ આ ધંધામાં પ્રખ્યાત થઈ પડયા હતા. જસ્ટિન મારટિરના સમયથી બસે વર્ષ પર્યત દરેક ખ્રિસ્તિ લેખક ગંભીરતાથી અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તેમની આ શક્તિ સાચી હતી અને તેને વારંવાર ઉપયોગ થતો હતો. ખ્રિસ્તિઓ પણ કહેતા હતા કે બીજા બધા કરતાં તેઓ આ બાબતમાં શ્રેષ્ટ હતા. તેઓ કહેતા હતા કે વિધમી ભુવાઓના અનેક જાદુમંત્રથી પણ જે હઠીલું ભૂત નીકળતું ન હોય તેને પણ કાઢવા, દેવ વાણીને ચૂપ કરવા, અને ભૂતને મેહે જ ખ્રિસ્તી ધર્મ સાચે છે એ વાત કબુલ કરાવતા, તેઓ સમર્થ હતા; અને તેમ કરવામાં તેઓ માત્ર કંસ (સ્વસ્તિક)ની નિશાની કરતા અથવા ઈશુખ્રિસ્તનું નામ દેતા. વખતે જાનવમાં ભૂત ભરાતું તે તે પણ તેઓ કાઢતા. સંત હિલેરિયને એક ઉંટમાંથી એ પ્રમાણે ભૂત કાઢયું હતું. યુલિયનના રાજ્યમાં ધર્મવીર બેબલસનાં હાડકાં જ માત્ર ડેફની દેવવાણુને ચૂપ કરવા પૂરતાં હતાં, અને જ્યારે ખ્રિસ્તિઓએ તે પવિત્ર હાડકાને ત્યાંથી દૂર કર્યો એટલે તે મંદીર ઉપર વીજળી પડી અને તે બળી ગયું. સંત ગ્રેગરીમેટરગસે એક મૂર્તિવાળા મંદીરમાંથી પિશાચોને હાંકી કાઢયાં, ત્યારે પિતાની આજીવિકાનું સાધન જતું રહેવાથી તેને પૂજારી સંતની પાસે આવ્યો અને સંતને વિનવવા લાગ્યું કે તે મંદીરની દેવ–વાણી પાછી ચાલુ થવા દેવી. તેથી કરીને સેતાન પાછા આવ” એવી સંતે ચીઠ્ઠી લખી, અને સેતાન પાછો મંદીરમાં તુરતજ દાખલ થયા. આ ચમત્કારથી દિગમૂઢ બની તે પૂજારી ખ્રિસ્તિ થઈ ગયે. ધર્મને નામે જ્યારે બ્રિસ્તિઓ ઉપર જુલમ અને ત્રાસ ગુજારવામાં આવતું હતું, ત્યારે વિધર્મીઓને ઉદેશીને લખતાં ટરશુલિયન છાતી ઠોકીને કહે છે કે “વળગાડવાળા ગમે તે માણસને અથવા તે પિતાને