________________ 170 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. સિવું અને ફેલાવું અનુકૂળ થઈ પડયું હતું. વેપારને લીધે મિસર અને ઈટાલી નિરંતર સંબંધમાં આવતાં હતાં. પિતાના ધર્મને ચુસ્તપણે વળગી રહેનારા પૂર્વ તરફના ગુલામ રોમમાં સંખ્યાબંધ હતા. વેપારને માટે આ લેક્ઝાંડિયામાં અનેક જાતના લેકે આવતા, અને તેમના સંસર્ગથી ત્યાં એક એવો મિશ્રવાદ ઉભો થયો કે જેની અસર આખી દુનિયા ઉપર થઈ છે. આ મિશ્રવાદ તે નવીનપ્લેટો મત છે. પરંતુ આ પરિવર્તનનું પ્રબળ કારણ તે રેમના રાજ્યમાં હવે કોને ધર્મભાવનાની જરૂર હતી તે છે. ઇશુખ્રિસ્તના જન્મ પૂર્વના શતકમાં અને પછીના પચાસ વરસમાં રેમની અનાસ્થા છેક છેલ્લા શિખરે પહોંચી હતી, રાજકીય કારણોને લીધે રેમના પ્રજાસત્તાક રાજ્યની જૂની રહેણીકરણ એકદમ બદલાઈ ગઈ તેથી, અને સાર્વભૌમ રાજયમાં અનેક ધર્મોની સરખામણી થવા લાગી તેથી, રોમન લેકમાં સંપૂર્ણ અનાસ્થા ઉપજી આવી હતી. છતાં સાથે સાથે જાદુ અને જ્યોતિષના વેહે પણ તેમનામાં પ્રચલિત હતા એ હકીકત આગળ કહેવામાં આવી છે. વળી સૃષ્ટિ-વિજ્ઞાનશાસ્ત્રનું અજ્ઞાન પણ તેમનામાં મોટું હતું. તેથી તેમને દાખલ થવાને અવકાશ હજુ ઘણું હતું. પરંતુ પ્રથમ સૈકાના અધવચમાં આસ્થા અને પૂજ્યબુદ્ધિ તેમનામાં આવવા લાગ્યાં, દેવપૂજા પાછી દાખલ થવા માંડી, અને ધર્મ-ક્રિયાઓની સાથે નીતિને સંયુક્ત કરવાને ઉપદેશ થવા લાગે. દેવ-વાણી પ્રત્યે આસ્થા પાછી સજીવન થઈ. વળી આફત ઉપર આફત આવવાથી રાજ્યને અસ્ત નજરે દેખાવા લાગે તેથી સ્વદેશાભિમાનની જે લાગણી ધર્મની ગરજ સારતી હતી તે નષ્ટ થઈ અને ભયંકર મરકીને લીધે વહેમનું રાજ્ય પ્રબળ થયું. વળી આત્મા સંબંધી વિચાર કર્યા વિના માણસે લાંબા કાળ રહી શકતાં નથી; અને ધર્મ-ભાવના આપણું સ્વભાવનું એક તત્વ હોવાથી તેની અવગણના પણ લાંબે કાળ થઈ શકતી નથી. શરૂઆતના રેમન એંઈક મતમાં ધર્મથી સ્વતંત્ર નીતિની હિમાયત હતી. તે મત કહેતે કે વર્તમાન જન-સ્વભાવમાંથી આખું નીતિશાસ્ત્ર નીપજી આવે છે, માટે તેના પાલન માટે કોઈ ચમત્કારિક બાહ્ય સાધનની