________________ વિધર્મ મહારાજ્ય. 171 અપેક્ષા નથી. પરંતુ નવીન પ્લેટમતમાં ધર્મભાવના મુખ્ય હતી, અને એ વાત સમયને રૂચતી હતી. | નવીન પ્લેટે મતમાં પ્લેટની ફિલસુફી અને મિસરની ધર્મ ભાવનાનું સંમિશ્રણ છે. પ્લેટની ફિલસુફીમાં સદાચારનું મૂળ અને નમુને ઈશ્વર છે એમ માન્યું છે, મનુષ્ય ઉપર અસર કરતા ગણદેવ ( Daemons ) ને સ્વીકાર છે, અને લક-માન્ય ધર્મને યુક્તિ પૂર્વક અને સંતોષકારક ખુલાસો છે. મિસરના ધર્મમાં ચિત્તની શાંતિ અથવા સમાધિને પરમ સુખની દશા માની છે, અને ખાસ ધાર્મિક ક્રિયાઓથી ચિત્તને વિશુદ્ધ કરવાને તેમાં પ્રયાસ છે. પ્લેટોની ફિલસુફી યુક્તિપ્રધાન છે; મિસરને ધર્મ ભાવના-પ્રધાન છે. આ બંનેના મિશ્રણથી એક મોટી ધાર્મિક સુધારણાને જન્મ થયો છે. પ્લેટોની ફિલસુફીના શ્રીક-વલણનું મુખ્ય દષ્ટાંત સ્ફટાર્ક છે. લૂટાર્કના મતમાં વિવેક બુદ્ધિની શ્રેષ્ઠતાને સ્વીકાર છે, અને તેના ઉપદેશમાં મુખ્યત્વે કરીને એકેશ્વરવાદ છે. ઈશ્વર એક જ છે, પણ તેના ભિન્ન ભિન્ન દૈવી ગુણોને ભિન્ન ભિન્ન દેવ માની લેકે પૂજે છે; તેથી અનેકદેવવાદ અને એકેશ્વરવાદમાં કાંઈ વિરોધ નથી. ઈશ્વર કે દેવ ક્રૂર કે અનીતિમાન કદિ હોય જ નહિ. જે લેકે એમ માનતા હોય તે વહેમી અને બ્રાંત છે. સારા નીતિમાન માણસે ઈશ્વર કે દેવથી ડરવાની કોઈ જરૂર નથી. મૂર્તિપૂજકે અજ્ઞાની છે; તેઓ મૂર્તિના કારીગરોને માને છે, પણ તત્ત્વવેત્તાને માનતા નથી. ઇશ્વર સિંદર્યની મૂર્તિ છે એ વાત ખરી, પણ તે સુંદરતા શારીરિક નથી હોતી. જ્ઞાનીને તે ઇશ્વર દિવ્ય ભવ્યતા, કમળતા, દયા અને નીતિનું સ્વરૂપ જ સમજાય છે. પરંતુ લૂટાર્ક હજી બરાબર એકેશ્વરવાદી નહોતે. દેવ-વાણીમાં હજી તેને આસ્થા હતી; વંશપરંપરા સજાની વાત એ માનત; અને ખાસ દૈવી ચમત્કારને સિદ્ધાંત પણ તે સ્વીકારતે; ઈત્યાદિ કારણોને લીધે તેને એકેશ્વરવાદ હજી શુદ્ધ નહતો. ટાયરને મેક્ષિસ પણ તેની પછી એકવાદને જ ઉપદેશ આપ. હતે. દેવ સંબંધી બધી વાતે તે રૂપક રૂપે સમજાવવા લાગે. વળી તે