________________ રોમ ખ્રિસ્તિ થયું, 181 મનુષ્યની સર્વોત્કૃષ્ટ ભવ્યતાને ગંભીર નિશ્ચય એને હેવાથી, પોતાના શિષ્યોને ઈશ્વર અને માણસની દરેક બીકથી સ્વતંત્ર કરવાને ખાસ પરિશ્રમ સેનિકાએ કર્યો હતે. ડાહ્યા માણસ દેવોની તુલ્ય છે એવી મગરૂર ભાષા એની હતી. વળી યાહુદીની આખી જાત શાપિત છે એમ સેનિકા સ્પષ્ટ કહેતા, અને યહુદી અને ખ્રિસ્તિને એ વખતે મેં એક ગણતું. રેમન એંઈકોમાં જે કોઈનું પણ આચરણ ખ્રિસ્તિના જેવું હોય તે તે મારકસ ઓરેલિયસનું હતું, પણ એણે તે ખ્રિસ્તી ધર્મને સતાવ્યું હતું. વળી ખ્રિસ્તિ ધર્મના સિદ્ધતિનું સામ્ય ગ્રીક તત્ત્વવેત્તાઓના લખાણમાં જોવામાં આવતું હતું, અને તેનાં અનેક દૃષ્ટાંત અપાતાં હતાં. પરંતુ સેનિકા ઇત્યાદિ રમના સમકાલીન નીતિવેત્તાઓ ઉપર એ ધર્મની અસર થઈ હતી એમ કોઈ ખ્રિસ્તિ વૃદ્ધ કહેતું નથી. તેથી કરીને સ્ટઈક મતની પ્રબળતાના સમયે ખ્રિસ્તિ ધર્મ રમના તત્ત્વચિંતક વર્ગ ઉપર કાંઈ પણ સત્તા સ્થાપિત કરી હોય એ વાત તદન બીનપાયાદાર છે. ત્યારે હવે, લેકીને દૈવી ચમત્કારને પૂરાવે આપી ખ્રિસ્તિ ધર્મ પોતાની સત્તા સ્થાપી છે કે કેમ? તે બાબતને આપણે વિચાર કરીએ. અહીં બે બાબતે આપણે લક્ષમાં રાખવાની છે. એક તે, ચમત્કારની તુલ્યના કરવાની એ જમાનાની શક્તિ કેવી હતી અને બીજી કેટલે અંશે તેમના મન ઉપર એ ચમત્કારોની અસર થાય એમ હતું ? આ વિષય બરાબર સમજવાને માટે ચમત્કારના પૂરાવાની વાત કાંઈક છણવાની અત્ર જરૂર છે. - કેથલિક સંસ્થાના થોડાક ધર્મગુરૂઓ સિવાય, હાલના સુધરેલા, જમાનામાં ચમત્કારની વાત સામાન્ય રીતે કોઈ માનતું નથી. લગભગ દરેક માણસ કોઈ એક અમુક પ્રકારના ચમત્કાર અંતઃકરણપૂર્વક કદિ માનતે હોય છતાં સામાન્ય નિયમ તરીકે ચમત્કારને તે જૂઠા અને નહિ માનવા લાયક ગણે છે. ચમત્કાર બનવા અશક્ય છે અથવા કુદરતમાં તે બનવા અત્યંત અસંભવિત છે એવા કારણને લીધે ચમત્કારમાં તેને અશ્રદ્ધા હોય છે એમ પણ નથી, કારણ કે અન્ય ચમત્કારેના સંબંધમાં