________________ 183 , ,,,,,,,,,,, ,,++++, + - 1. રામ ખ્રિસ્તિ થયું. પથરે આવીને પડે છે તે એમ જાણે છે કે કેઈએ એ ફેંકો. અને ધૂમકેતુ, મરકી, વાવાઝોડું ઇત્યાદિ બનાવને કાઈ અદશ્ય શક્તિના સીધા અને છૂટક છૂટક કાર્યો માનીને તે કાર્યો શા ઈરાદાથી પ્રેરિત થતાં હશે તેને વિચાર કરવા એ બેસે છે, અને તે કરનારાને ક્રોધ શમાવવા ઉપાયો તે શોધે છે. આમ સૃષ્ટિમાં બનતાં બનાવોને નોખા નોખા ગણીને, તે દરેકની વ્યવસ્થા કરતી અધિષ્ઠાત્રી શક્તિની નવી નવી યોજના તે કરે છે. આમ ચમત્કાર તેને મને કોઈ વિચિત્ર બનાવ લાગતા નથી, તેમ કુદરતી કાયદાના ભેગરૂપે તેને સમજાતા નથી, પરંતુ દુનિયાને સામાન્ય ક્રમ જ એવો છે એમ એને લાગે છે. બુદ્ધિની આ અવસ્થાની સાથે કેટલાંક નાનાં નાનાં પરિણામે પણ રહેલાં હોય છે. છવાપણુવાદકે જે માનુષી લાગણીઓનું આરોપણ જડ વસ્તુઓમાં કરે છે, જે સઘળાં કાવ્ય અને વકતૃત્વમાં મોટે અંશે દેખાય છે, અને સમાજની પ્રાથમિક દશામાં જે ખાસ કરીને દશ્ય થાય છે તે આપણુ અભિપ્રાયોના મોટા ભાગનું મૂળ છે. થાંભલા સાથે માથું ભટકાતાં આપણે પણ થાંભલા ઉપર ઘડીક ગુસ્સે થઈ જઈએ છીએ, પરંતુ તેમાં આ જીવારોપણુ જ હોય છે. પરંતુ વિવેક વાપરી સુધરેલો માણસ ક્રોધના આ આવિર્ભાવને રોકી શકે છે; બાળક અને જંગલી તે રોકી શકતાં નથી. અને આ ન્યાયે અન્ય કારણોની સાથે કપના શકિતની નિર્બળતાને લીધે પિતાની પ્રથમ ભાવાઓને અનુરૂપ ઈશ્વરનું સ્વરૂપ આદિકાળનાં અશિક્ષિત માણસો બાંધે છે અને આ ઈશ્વરનાં તુરંગી અને અસંબદ્ધ કાને તેઓ ચમત્કાર લેખે છે. કલ્પનાની એ જ નિબળતા પછી તેમનાં માનસિક વલણે, મનેભાવ, વિકારના ખળભળાટ કે વિરોધ કે કેવળ તુરંગને પણ કાંઈક દશ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે; અને આમ ધીમે ધીમે દેવ દેવીઓ અને તેમની કથાઓ ઉપજી આવે છે. આવી કથાઓને ઉદેશ નીતિને કોઈ મુદ્દો રૂપક રૂપે-બુદ્ધિમાં ઝટ ઉતરે એવા કેઈ સાકાર સ્વરૂપે, સમજાવવાનું હોય છે અર્થાત વારેપણમાં આશ્ચર્ય ઉપર પ્રેમ અને વિવેચનાશકિતની ખામી એ બે વાત મુખ્ય હોય છે.