________________ રામ ખ્રિસ્તિ થયું. 185 વધે છે અને તેને લીધે સૃષ્ટિના જડ બનાવમાં ચેતનને આરોપ કરવાની ટેવ સુધરે છે અને તેથી દેવદેવીઓની ચમત્કારીક કથા ઉપજાવવાનું મેટું મૂળ બંધ થઈ જાય છે અને આમ પુરાણ કથાઓને અંત આવે છે. ત્રીજું, સૃષ્ટિ-વિજ્ઞાન–શાસ્ત્રને અભ્યાસ વધતાં કુદરતનું રાજ્ય નિયમે ચાલે છે એવું જ્ઞાન થાય છે અને તેથી ચમત્કારની માન્યતાને અસ્ત થાય છે. પુરાણ કાળમાં મનાતા અનેક ચમત્કાર રૂપ બનાવે તે કુદરતી જડ કારણોનાં નિયમિત પરિણામ માત્ર છે એમ વિજ્ઞાન–શાસે હવે સિદ્ધ કર્યું છે. વળગાડના દરદોની સારવાર હવે ડાકટરો કરે છે અને કાલેરા, મરકી વગેરે મોકલી ઈશ્વર પિતાની નાખુશી જણાવે છે એવી માન્યતા હવે લેપ પામી ગઈ છે. ધૂમકેતુના આગમનની આગાહી થાય છે અને વિજળી તે હવે આપણી દાસી થઈ રહી છે. વળી જ્યાં કેટલીક પુરાણકથાઓનો ખુલાસો આપી શકાતો નથી ત્યાં પણ ચમત્કાર બનવો બહુ અસંભવિત છે. કારણ કે વિજ્ઞાન-શાસ્ત્રને મુખ્ય ઉપદેશ એ છે કે જગતના બનાવે એક બીજામાં ઓતપ્રેત અને સંકલિત હોય છે, અને તેથી એક બાબતમાં વ્યુત્કમ થતાં આખા જગતમાં ઉત્પાત થાય. આમ ચમત્કારની માન્યતા નિર્મૂળ કરવામાં સૃષ્ટિ-વિજ્ઞાન શાએ ઘણું કર્યું છે. સૃષ્ટિમાં કુદરતનું નિયમિત રાજ્ય જ પ્રવર્તે છે; કશું અણધાર્યું કે અકસ્માતથી બનતું નથી; એ વિજ્ઞાન-શાસ્ત્રને મુખ્ય અને જબરો ઉપદેશ છે. પરંતુ હજી પણ વિજ્ઞાન–શાસ્ત્રને વિજય સંપૂર્ણ થયે જણાતું નથી. હાલના સમયમાં પણ ઘણાખરાં માણસે કુદરતના કેટલાક બનાવોને ચમકારનો પ્રદેશ માને છે; કારણ કે વિજ્ઞાન-શાસ્ત્ર એ બનાવની બરાબર આગાહી કરી શકતું નથી. દાખલા તરીકે વરસાદ ન થાય તે લોકોની નીતિ ઉપર આક્ષેપ મૂકાય છે. “ભાઈ ! આવા પાપના જમાનામાં વરસાદ, પણ સુકાઈ ગયો !" એમ કે માહમાંહે કહે છે. વળી કેટલાક નહિ સમજતા રોગમાં પણ તેઓ ઈશ્વરને ન્યાય જુએ છે; અને જે રોગ વૈદિક શાસ્ત્રથી ન મટે અથવા મટતાં વાર લાગે તે લોકે દેરા ચીઠ્ઠી કરાવવા દોડે છે, ઈગ્લાંડમાં એક સમયે જ્યારે તેમાં મરકી પડી ત્યારે કેટલાક ધર્મગુરૂઓ