________________ 190 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. આવે છે એ વાતથી કદાચ કોઈને આશ્ચર્ય લાગશે. પણ રોમના લેકે ભોળા અને વહેમી હતા એ બીના ઘણી વાતોથી સમજી શકાય છે. પ્રથમ તો તેમનાં મન તત્વદર્શન પ્રત્યે વધારે વળેલા હતા તેથી અન્ય બાબતમાં બેદરકાર રહેતાં. વળી ભૂલ ઉપર છાપવાની કળાને લઈને અંકુશ રહે છે, પણ તે કળા હજી અસ્તિત્વમાં આવી નહતી; વળી વિજ્ઞાનશાસ્ત્રની પદ્ધતિએ શોધખોળ કરવાની રીતથી તેઓ અજાણ હતા; વળી ધર્મની બાબતમાં આસ્થા રાખવી તે સારું ગણાતું, અને સંશય કે શંકા કરવામાં પાપ ગણાતું. વળી કુદરતના કાયદાની અજ્ઞાનતાને લીધે સૃષ્ટિના ઘણું બનાવી તેમને સમજાતા નહિ અને તેથી ચમત્કાર રૂપે તે સમજાય તો તેમાં નવાઈ નથી. જ્યારે લુક્રિશિયસે ચમત્કારની વાતને દુનિયામાંથી દેશનિકાલ કરવાનો પ્રયાસ કરવા માંડે, ત્યારે કે તેને પૂછવા લાગ્યા કે કુવાનું પાણી ઉનાળા કરતાં શિયાળામાં શા માટે વધારે ગરમ હોય છે? ગ્રહણ અને ધૂમકેતુ આગામી અનિષ્ટનાં ચિહને ગણુતાં. સ્વપ્નાની અસરને અધીન થઈ મહાન ઓગસ્ટસ બાદશાહે રોમની શેરીઓમાં ભીખ માગી હતી. મરકી, ધરતીકંપ ત્યાદિ દેવનાં કૃત્ય મનાતાં, અને તેથી દેવોને બળીદાન અપાતાં. આવા બનાવોને કુદરતી ખુલાસે આપવા કવચિત કઈ કઈ પ્રયાસ પણ કરતા, પણ ઘણા ખરા ખુલાસા તે તેમનું અજ્ઞાન જ સૂચવે છે. દાખલા તરીકે, ગ્રીક લેકે કહેતા કે જમીનની નીચે રહેલા પાણીના જોરથી ધરતીકંપ થાય છે; તેથી તેઓ વરૂણને બળીદાન આપતા. પ્તિની કહેતા કે પૃથ્વીના પેટમાંથી હવા બહાર નીકળવા જાય ત્યારે ધરતીકંપ થાય; ઇત્યાદિ. વળી જાદુ અને જ્યોતિષના વિચારોને લેકાએ ધાર્મિક આસ્થાઓથી જુદા પાડયા હતા, અને તેથી કેવળ નાસ્તિક પણ એવા વેહેમ માનતા હતા. * જેમના અતિ બુદ્ધિશાળી અને ઉજવળ સમય પછી પણ રેમની આવી દશા હતી. ભૂતપલીત ઇત્યાદિના વહેમે પ્રચલિત હતા, એટલે જ નહિ પરંતુ સૃષ્ટિ વિજ્ઞાનશાસ્ત્રમાં તેમનું અજ્ઞાન એટલું બધું હતું કે જે બનાવો અધ્યાત્મિક ન મનાતા હોય તેવામાં પણ તેઓ ઘણું વહેમી હતા. તેમનામાં પ્તિની મેટે વિજ્ઞાન-શાસ્ત્રી થઈ ગયું છે. પણ તે જ કહેતો કે