________________ - રોમ ખ્રિસ્તિ થયું. 189 m an જ્ઞાનથી ભાંગી શકતી નથી. દાખલા તરીકે, સ્વપ્નામાં કાંઈક દેવતાઈ અંશ હોય છે એવી પ્રાચીન લેકની દૃઢ માન્યતા હતી. સ્વપ્ન જે સાચું પડે પડે છે તેથી સ્પષ્ટ ભવિષ્યકથન થયું હતું એમ ગણાતું. તેથી ઉલટું જ જે બને તે ખુલાસે એવો થતો કે કઈ વખતે સ્વપ્નમાં ઉલટી વાતનું પણ સૂચન હોય છે. જે રૂપકથી તેને ખુલાસે થઈ શકતે તે કહેતા કે રૂપક પણ દિવ્ય પ્રકાશનને એક પ્રકાર છે. જે કોઈ પણ પ્રકારે તેને ખુલાસો થઈ જ ન શકતો તો કહેતા કે આપણને ખાસ ભ્રમિત કરવાને એ રસ્તા હતે. આમ જે વાત માનવાનું માણસોને મન હોય છે, તે ગમે તે પ્રકારે પણ તેઓ માને છે, આ પૂર્વ-વલણની પ્રબળતાને લીધે ઘણી પ્રજાઓએ કેવળ બ્રાંતિને પણ ચમત્કાર રૂપે માનેલી છે. ખ્રિસ્તિ ધર્મની પૂર્વ રેમમાં સતત એવી દઢ માન્યતા હતી કે કઈ મેટ માઠે બનાવ બનવાન હોય તે આગળથી કુદરતમાં કોઈ ઉત્પાત અવશ્ય થતા, અને બળીદાન આપવાથી તે સંકટનું નિવારણ થતું. આ પ્રમાણે રાજાના મૃત્યુ સમયે અથવા કોઈ સાર્વજનિક અનર્થ થવાનું હોય ત્યારે કેઈને કોઈ ઉત્પાત થતે. તેથી દેવવાણીનાં મંદીરો અને ભવિષ્ય જાણવાની કળા ત્યાં ઉભાં થયાં હતાં. આખા યુરોપમાં એક સમયે ડાકણનો વહેમ પ્રબળ હતે. ઈંગ્લાંડના ઇતિહાસના અતિ ઉજવળ કાળમાં પણ એ વેહેમ હતું કે કંઠમાળના રોગીને રોગ રાજાના સ્પર્શથી જતો રહે છે. અને અનેક છોકરાંઓને તેટલા માટે રાજા પાસે લઈ જવામાં આવતાં હતાં. એ વહેમને સ્વીકાર ક્ષફેર્ડના વિશ્વવિદ્યાલયે પણ કર્યો હતો. પરંતુ હાલના સમયમાં આવા વેહેમ કોઈ ભાગ્યે જ માનતું હશે. સિદ્ધાંતમાં ચમત્કારની અશક્યતા નથી, છતાં કોઈ ચમત્કાર બને એ વાત આપણે માનતા નથી, કારણ કે હવે આપણે સારી રીતે સમજીએ છીએ કે મનની અમુક અવસ્થામાં ચમત્કારની માન્યતા સ્વાભાવિક છે, અને એ અવસ્થા જતાં આ માન્યતા પણ ચૂપ બની ચાલી જાય છે. - રોમના ઇતિહાસમાં સૈકાએ પર્યત વહેમની આવી પ્રબળતા જોવામાં