________________ રેમ ખ્રિસ્તિ થયું. 187 નિર્ભય છીએ” એવી માન્યતા ઉતારૂઓની નહેત તે તેથી પણ જાનની ખુવારી ઓછી થાત. આ પણ એક ગજ-કહે કે દૈવયોગ. પરંતુ હવે એવે વેગ ફરીને નહિ બને, કારણ કે કારણ વિના કાર્ય બનતું નથી એ નિયમ સાચે જ રહે છે. છાપરા ઉપરથી નળીયું પડયું અને તે ઉભું પડયું અને તેથી નીચે ચાલ્યા જતા માણસનું મરણ થયું એ પણ એક દૈવેગ; અને આવા દૈવયોગ કવચિત કવચિત બને છે પણ ખરા. પરંતુ આવા યેગને પણ હદ હોય છે. અને આ હદ ઉપર તેવા યોગની સંખ્યા જવા માંડે કે તુરત જ તેમાં કોઈ કાયદે પ્રવર્તે છે એવું ભાન આપણને થાય છે. તે કાયદે આપણને જડી ન આવે તે જાદી વાત છે, પણ કઈક કાયદો ત્યાં છે જ. પાસાની રમતમાં પિબાર વારંવાર પડે તે જાણવું કે તેમાં કાંઈક દળે છે. ઈતિહાસમાં પણ અણીને સમયે એક બાજુની હાર કે છત થવાથી અનેક પરિણામ જુદાં જુદાં આવી શકે છે. આપણે તો તેની એક જ બાજુ જોઈએ છીએ. કેનીની લડાઈમાં વિજ્ય મેળવ્યા પછી જે હૈનીબાલે રેમને સર કરી બાળી મૂકયું હતું, તે પછી રોમના રાજ્યની સરસાઈથી જે જે બન્યું છે તે બનવા પામત નહિ, અને જૂદી જ જાતના રાજયની સરસાઈથી જૂદાં જ પરિણામ આવત; અને દુનિયાને ઇતિહાસ કદાચ ફરી જાત, અને તેથી કરીને ધર્મશાસ્ત્રીઓ કદાચ તેનીબાલની કારકીદીને ચમત્કારરૂપ માનત. ટૂંકામાં, ઉંડી અને નિષ્પક્ષ તપાસ કર્યા વિના જે વાત આપણને સમજાતી નથી તેને આપણે દૈવયોગ કે ચમત્કાર કહીએ છીએ. વિજ્ઞાન-શાસ્ત્રની દૃષ્ટિએ બરાબર તપાસ કરવી હોય તે પ્રતિજ્ઞાના વિષયમાં ભાવ સૂચક અને અભાવસૂચક બને જાતના દૃષ્ટાંતિનું નિરીક્ષણ થવું જોઈએ. પરંતુ ચમત્કારને માનનારા ઘણું કરીને સફળ પ્રસંગેની વાત કરે છે, પણ નિષ્ફળ પ્રસંગને ધ્યાનમાં લેતા નથી. તેઓ કહે છે; " જુઓ સાર્વજનિક પ્રાર્થના પછી વરસાદ કેવો આવ્યો !" ખરી વાત, પણ ઘણીવાર પ્રાર્થના કર્યા છતાં વરસાદ નથી આવ્યો તેનું કેમ ? આવી અસંગતતાને વિચાર તેઓ કરતા નથી, એટલું જ નહિ પણ ટલાક એવા ધર્મ-ભીર, હોય છે કે ધર્મની બાબતમાં શંકા કરવામાં પણ તેઓ પાપ સમજે છે એ શોચનીય છે.