________________ 188 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. - ~~ ~~-~ ઈશ્વરની વ્યવસ્થા એવી છે કે તેથી કરીને મનુષ્યનાં સુખ અને આબાદીનું કુદરતી અને ઘણીવાર અતિ પ્રબળ કારણ નીતિ થાય છે એ વાતની, અથવા આપણું નૈતિક સ્વભાવને લીધે કેઈ ઉચ્ચતર શક્તિના અતિ વાસ્તવિક, નિકટ અને સ્થાયી સમાગમમાં આપણે આવીએ છીએ એવી માન્યતાની, વિરૂદ્ધ અમારું આ બધું કહેવું જાય છે એમ સમજવાનું નથી. જગત ઉપર ઈશ્વરનું સ્વામિત્વ અમે સ્વીકારીએ છીએ, અને તેથી સૃષ્ટિ નિયમોમાં પણ વચ્ચે પડી તેમને ઉલટાવવા હોય તે તે ઉલટાવી શકે એમ ધારવામાં કે વિરોધ આવતું નથી. તેથી દૈવી ચમત્કાર બનવા અશક્ય નથી, પણ તે આપણી આ પૃથ્વી ઉપર તે બનતા નથી એમ સમજા માણસને સહેજે ખાત્રી થશે. તેથી જ્યાં પૂરા પૂરત હોય ત્યાં ચમત્કાર બનવા જ અશક્ય છે એમ કહી તે વાતને તિરસ્કારી દેવી ન જોઈએ. પરંતુ લક્ષમાં રાખવાની વાત અત્ર એટલી છે કે કેટલીક વખતે ચમત્કાર માનવાનું માણસોના મનમાં પૂર્વ વલણ હોય છે, અને તેથી તેવી વાત પ્રસરે છે અને મનાય છે, અને પછી એ જ વાતે તેમના પૂરાવામાં આગળ મૂકાય છે. આમ તે વાતે માત્ર કલ્પનાને જ ખેલ બની રહે છે. આ વાત ઘણુંખરા લેખકના ધ્યાનમાં રહેતી નથી. હકિકતની શક્યતા, અને પૂરા કેવી જાતને છે તે આ બે બાબતે ઉપર જ તેઓ ઘણે ભાગે ધ્યાન આપે છે. અમે જે અત્ર સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ તે એટલું જ છે કે કુદરતી બનાવના પ્રવાહમાં ઈશ્વર નિરંતર વચ્ચે પડયા કરે છે એ ચમત્કારને પ્રાથમિક અને સાદામાં સાદો વિચાર હોય છે, આ વિચારની ઉત્પત્તિ કાંઈક કુદરતના કાયદાની અજ્ઞાનતાને લીધે, અને કાંઈક શાસ્ત્રીય પદ્ધતિએ વિચાર કરવાની અસમર્થતાને લીધે થાય છે; અને આ વિચારની પ્રબળતાને લીધે પિતે આગળથી બાંધી બેઠેલા અભિપ્રાયને બંધ બેસતી વાતે એકઠી કરવા માણસે મંડી જાય છે. અને એ અભિપ્રાયને જે વાતે અસંગત હોય તે ધ્યાનમાં લેતા નથી. પરંતુ આ રીતે તે હરકઈ વાતને ચમત્કાર કરાવી શકાય. અને જે માણસનાં મન વહેમી કલ્પનાને પ્રથમથી જ આમ અધીન થઈ ગયાં હોય છે તેમની ભ્રાંતિ કેવળ