________________ - 176 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કુદરત વાદ સૂઈ ગયો. આત્મહત્યામાં દોષ ગણાવા લાગે, કારણ કે કર્તવ્યનું જે સ્થાન આપણે માટે ઈશ્વરે નિર્મિત કર્યું હોય તે તજવામાં પાપ છે, એટલું જ નહિ પણ આત્મહત્યા કરતી વખતે માનસિક ગભરાટને લીધે આત્મા દૂષિત થાય છે એવી માન્યતા થવા લાગી હતી. વળી પરલેકનું અસ્તિત્વ પણ સૌ માનવા લાગ્યા હતા, કારણ કે રેમની મોટાઈ નષ્ટ થતાં “ઈશ્વરના દરબાર'ની વાત લેકનાં મન ઉપર ધીમે ધીમે સ્થિત થવા લાગી; અને ગુલામોની સંખ્યા જે રેમમાં અસંખ્ય હતી તેમને આ વાત બહુ રૂચિકર થઈ પડી. ઉપરાંત નીતિ અને ધર્મનું સંમિશ્રણ થતું અને મંદિરમાં થતી ધર્મક્રિયાઓથી નૈતિક વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે એ. વિચાર પ્રસર્યો. આ બધાં પરિણામ નવીન પ્લેટે મતમાંથી ઉપજી આવ્યાં. ' ટૂંકમાં, આખા પ્રકરણને સાર આમ છે; રેમમાં તત્વજ્ઞાનનો ઉદય થયો ત્યારથી તે ખ્રિસ્તિ ધર્મની સ્થાપના થઈ તે દરમ્યાન નીતિનાં એકદર વલણ રેમન પ્રજામાં કેવાં હતાં તે આપણે જોયું અને સંજોગોને લઈને નૌતિનું ધારણ કેવી રીતે બદલાતું ગયું તે પણ આપણે તપાસ્યું. વ્યક્તિઓની નૈતિક કે માનસિક શક્તિઓમાં ગમે તેવી વિવિધતા હોય, પરંતુ જનસમૂહના એકંદર સ્વાભાવિક કે નૈતિક ધોરણમાં ઝાઝે ફેર હો સંભવિત નથી; તેથી કરીને કોઈ પ્રજામાં કઈ સદાચાર વા દુરાચાર અગ્રસ્થાને ગણાતો હોય છે તેનું કારણ તે પ્રજાના અમુક સંજોગોમાંથી જ શોધવાનું હોય છે. તે પ્રમાણે રેમના આચરણના ઇતિહાસની ત્રણ અવસ્થા આપણને પ્રતીત થાય છે. ' કેટે અને સિસેરેના સમયમાં રેમના સદાચારનું સ્વરૂપ શુદ્ધ રમાય હતું. સ્ટઈક મતના સિદ્ધાંત પ્રમાણે આ સ્વરૂપ સમજાવી શકાતું હતું એ વાત ખરી, પણ તે સ્વરૂપ રેમમાં અસલથી જ ચાલ્યું આવતું હતું. તે વખતનો રોમન નર દઢ, સહનશીલ, વ્યાવહારિક અને ઉન્નત હતો. કાળે કરીને આ સ્વરૂપમાં ગ્રીક વળણ દાખલ થયું; અને તે કેમળ અને દયાળુ હતું. કેવા કેવા સંજોગોથી આ તવ રેમના સદાચારમાં દાખલ થઈ ગયું