________________ વિધમી મહારાજ્ય. 175 ** * કે ઈશ્વર કૃપા ગમે તે નામ તેને આપે, પણ તે બધાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે ઇંદ્રિયથી પર જ્ઞાનનાં કેટલાંક દ્વારા આપણને પ્રાપ્ત છે એવી માન્યતા આપણા અંતરના અંતરપડમાં રહેલી છે; અને મનની કેટલીક અવસ્થા એવી હોય છેનૈતિક અને માનસિક પ્રકાશના કેટલાક ઝબકારા એવા હોય છે કે આપણી સામાન્ય શકિતઓ વડે તે સમજાવી શકાય એમ નથી. આપણી તર્ક શકિતની વિચારશીલતા, ભીરતા અને ચંચળતાને બદલે નવીન પ્લેટ મતમાં કલ્પનાના હર્ષોન્માદને સ્વીકાર છે, અને તેને માટે બીજી બધી માનસિક શકિતઓને ભોગ આપવાનું કહ્યું છે. તેથી થયું એમ કે લેકે ભેળા અને વહેમી થઈ ગયા, કારણ કે વિવેચના શક્તિનો અંકુશ જતાં કલ્પના નિરંકુશ બની ગઈ અને તેથી તેમાં ભ્રષ્ટતા અને ભ્રાંતિને અવકાશ રહેવા લાગે. આગલા કઈ પણ મત કરતાં આ મતમાં ચિત્તની વિશુદ્ધિ ઉપર વિશેષ લક્ષ છે એ વાત ખરી, પરંતુ વિચાર અને કૃતિને છૂટાં પાડવાની ગંભીર ભૂલ પણ આ મતે કરી છે. : જે સદાચાર કૃતિમાં પ્રતીત થતું ન હોય તેને સદાચાર તરીકે સ્વીકારવાની રેમના તત્વચિંતકે સાફ ને કહેતા. પરમેશ્વરની પ્રાર્થના કરીને ખેડૂત ને બેસી રહે અને હળ ફેરવે નહિ, તે તેથી ધાન્ય નીપજી જતું નથી. કેવળ જ્ઞાનથી ફાયદો ? વૈદ્યની કુશળતા ક્યારે ગણાય કે રેગીને રોગ મટાડે ત્યારે. અર્થાત પિતાની શકિતને ઉપયોગ માણસે બીજાના ભલા માટે કરવાનું છે. આપણી માફક પરમેશ્વર આળસુ થઈ જાય તે પછી દુનિયા ચાલશે કેમ ? પરંતુ નવીન પ્લેટ મતને સદાચાર સામાજીક રહેતો નથી, કારણ કે તે મતમાં સમાધિ જ સદાચારની સર્વોત્તમ દશા મનાએલી છે, અને વૈરાગ્ય વૃત્તિ તે દશા પ્રાપ્ત કરવાનું સાધન છે. પણ વૈરાગ્ય-વૃત્તિ અને સાંસારિક પ્રવૃત્તિ એક બીજના વિધી છે. તેથી રમના તત્વચિંતનને છેલ્લે ફટકે મારવાની ખાસ યોગ્યતા નવીન પ્લેટ મતમાં હતી. આ પ્રમાણે નવીન પ્લેટ મતને લીધે સામાજીક જીવનની પ્રવૃત્તિ બંધ પડી અને વિવેચના-શક્તિ મંદ થઈ. વળી આગળ જતાં દૈવી ચમત્કા રની વાત બહુ મનાવા લાગી તેથી અને ગૌણદેવના સિદ્ધાંતથી સ્ટઈક