________________ વિધર્મી મહારાજ્ય. 173 ભાવના ઉચ્ચ કરવા અને ધર્મના કાનુનને અમુક અંશે નૈતિક સુધારણના ઉપાય બનાવવા માટે માણસે ઇંતેજાર હોય છે. વળી ધર્મ-ભાવનાના બે મુખ્ય પ્રકારત્વજ્ઞાન અને ભકિત-જે આપણને હવે સર્વત્ર નજરે પડે છે તે બે પ્રકાર પણ આ પ્રયાસમાં સ્પષ્ટ દીસી આવે છે. ગ્રીક તત્વચિંતન યુક્તિપ્રધાન અને મિશ્રવાદી છે. મિસરનું તત્ત્વચિંતન ભકિત-પ્રધાન અને ગૂઢ છે. ગ્રીસ તત્ત્વચિંતક પિતાના ધર્મ ઉપર પણ ટીકા કરવા મંડી જતો. મિસરને ધાર્મિક પુરૂષ દૈવી હાજરી આગળ વિચારશકિતને કંગાલ ગણે ગરીબાઇથી નમી જતે, તેથી યુરેપના નૈતિક જીવનમાં એક નવીન એશને પ્રવેશ થયો; અને તે અંશ ધાર્મિક પૂજ્ય બુદ્ધિ અને ધર્મને માટે ધાસ્તી યુક્ત માન હતા. આ બન્ને પ્રજાના જીવનમાં પડત. ભેદ પણ આ ભેદને લઈને સ્પષ્ટ થાય છે. ગ્રીસના ધર્મમાંથી ઘણી રમત અને ઉત્સવ ઉપજ્યાં છે; અને ધર્મની ધાસ્તી તે લેકમાં બહુ ઓછી હતી. મિસરમાં ધાર્મિક ક્રિયાઓમાં ગુહ્ય ભેદ અને રૂપક રહેતાં, અને બ્રહ્મચર્ય, માંસાહારને ત્યાગ, પવિત્રતા ઇત્યાદિ ક્રિયાઓના લાંબાકાળ પર્યત સેવનથીજ ઈશ્વર-પૂજાને માટે યોગ્ય થવાતું. કુદરતના મહાન બળોની ગણત્રી દેવ તરીકે થતી હોવાથી અને ગુહ્ય ચિનેથી તે બળે ઢંકાએલા હોવાથી એક ગંભીર પ્રકારની ધાસ્તી તેમના ધર્મમાંથી ઉપજતી હતી. આ પર્વાત્ય ધર્મના પ્રવાહની જોડે આચરણના વિચાર અને તત્ત્વદર્શનના સિદ્ધાંતે જે ધસડાઈ આવ્યા તે પણ તેવા જ પ્રકારના હતા. વિચારપરંપરાથી પ્રાપ્ત થતા નિગમને કરતાં સમાધિથી થતું અતજ્ઞાન વધારે કિંમતી છે એ વલણ પત્ય ધર્મનું મુખ્ય હતું. નવીન પ્લેટ મત અને ઈક મત બનેમાં સર્વાત્મવાદ છે, પણ તેમાં ભેદ બહુ છે. અને મતમાં મનુવ્યની એકતા ઇશ્વર સાથે કરી છે; પરંતુ સ્ટઈક મતમાં મનુષ્યનું ગૌરવ વધારવા તે કરી છે અને નવીન પ્લેટે મતમાં ઈશ્વરને મહિમા બતાવવા તે કહી છે. સ્ટેઈક મતમાં સદાચારી મનુષ્યથી શ્રેષ્ઠ સૃષ્ટિમાં કશું નથી; નવીન બેલેટ મતમાં માણસમાં ઈશ્વરીક અંશ છે પણ તે એશ શરીરની