________________ વિધમાં મહારાજ્ય, 177 તે આપણે ઉપર જોયું છે. પરંતુ આ તત્વ દાખલ થવાથી સ્ટીઈક મત નિર્બળ થતા ગયે, અને છેવટે લેકમાન્ય ધર્મ સુધારવાની પ્રબળ ઈચ્છા રોમન પ્રજામાં ઉદ્દભવ પામી. આ બીજી અવસ્થાના નૈતિક નમુનામાં રેમ અને ગ્રીસના સદાચારનું સંમિશ્રણ હતું. ત્રીજી અવસ્થામાં રાજાનું રાજ્ય લબે વખત ચાલુ રહેવાને લીધે રોમન પ્રજામાં સામાજીક ચંચળતાને ધીમે ધીમે અસ્ત થઈ ગયો. વક્તાઓનું પરિબળ વધી પડવાથી માનસિક શક્તિમાં માત્ર વિતંડા અને શુષ્ક તર્ક રહ્યાં. લાગણીઓને કેળવવાની પ્રથા વધતી ચાલી, અને છેવટે લેકને ધર્મ ભાવનાની ઈચ્છા પ્રબળ થઈ. અનેક નાનાં નાનાં કારણોને લીધે સંશયાત્મવાદને નાશ થશે અને ધીમે ધીમે અલેક્ઝાંડ્રિયા નીતિ શાસ્ત્રનું મુખ્ય મથક થઈ પડયું. તેથી રમીય નૈતિક સ્વરૂપ નષ્ટ થયું, અને છેવટે નવીન પ્લેટ મત લેકની સમક્ષ આવીને ઉભો રહ્યો. આ મતની અસરથી માણ સેનાં મન અંતરાભિમુખ, ભોળાં અને વહેમી થઈ ગયાં; અને સમાધિના બ્રમમાં પિતાની ઇચ્છિત અવસ્થા પામ્યાં છે એમ માની માણસો એકાંતવાસી થવા લાગ્યાં. શહેનશાહત, ગુલામગીરી અને ક્રૂર રમતના પરિણામે રોમ કેવળ ભ્રષ્ટ થઈ ગયું હતું. આ ભ્રષ્ટતા મટાડવાને પ્રયાસ દરેક પથે કર્યો હતો. સ્ટઈક મતે સારા નરસાને માટે મેટો ભેદ સ્પષ્ટ સ્થાપો, સાર્વત્રિક બ્રાતૃભાવની વહાર કરી, ઉત્તમ સાહિત્ય અને ધારા-શાસ્ત્ર ઉપજાવ્યાં અને પિતાની નૈતિક વ્યવસ્થાને સ્વદેશાભિમાનમાં લગાડી દીધી. ગ્રીક તત્ત્વજ્ઞાનની અસરથી લેકમાં કમળ ગુણે દાખલ થયા અને સામાન્ય વ્યવહારમાં પણ સારા નરસાને ભેદ સ્પષ્ટ થશે. અને નવીન પ્લેટ મતથી ધાર્મિક પૂજ્યબુદ્ધિની ભાવના જાગ્રત થઈ, નમ્રતા, ભકિત અને વિચારની વિશુદ્ધિને બંધ થયો, અને નૈતિક દૃષ્ટિબિંદુને માણસ સાથે નહિ પણ ઈશ્વર સાથે સંબંધ છે એ વાતથી લેકે પરિચિત થયા. પરંતુ એ જ સમયે ખ્રિસ્તિધર્મ ધીમે ધીમે બહાર આવતા હો;