________________ 164 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ | સ્ટઈક મતની ત્રીજી અસર રેમના ધારાશાસ્ત્ર ઉપર થઈ છે. ભિન્ન ભિન્ન પ્રજાઓ ઉપર રાજ્ય ચલાવવાની પિતાની શક્તિ માટે રેમ મગરૂર હતું અને આ બાબતમાં ગ્રીસ કરતાં જેમ બેશક ચડે છે. જેમના કાયદા અત્યારે પણ પકાય છે. કાયદાને માટે રેમનલોને માન પ્રથમથી જ હતું. પરંતુ તેના પ્રજાસત્તાક રાજ્યના કાયદા, સંકુચિત, સ્થાનિક, સૈનિક અને ધાર્મિક હતા અને સાર્વભૌમ રાજ્યના રાજકીય અને માનસિક વિકાસના સમયને માટે અયોગ્ય નીવડ્યા. તેથી આગસ્ટસના સમયમાં કાયદાનું નવું બંધારણ શરૂ થયું અને છેવટે થિસિયસ અને જસ્ટિનિયનના કાયદા-સંગ્રહ બહાર આવ્યા. આ બંધારણમાં બે મુખ્ય ભાગ છે, કાયદા અને ઇનસાફ (equity)નાં સૂત્રો. અમુક અમુક બાબતેને માટે ખાસ સ્પષ્ટ કાયદા થઈ શકે છે, પરંતુ કેટલીક બાબતે કાયદામાં આવી શકતી નથી ત્યાં, અગર કાયદાને અર્થ જ્યાં સ્પષ્ટ હેત નથી ત્યાં, ન્યાયાધીશને ઇનસાફ આપવો પડે છે. તેથી કાયદાનો ઉદેશ ફળીભૂત કરે એવાં કેટલાંક સામાન્ય સૂત્રો ન્યાયાધીશને તૈયાર આપવાં જોઈએ. આ સૂત્રો એંઈક મતવાળાઓએ જ આપ્યાં છે. નાત, જાત, કે ધર્મને તફાવત રાખ્યા વિના સાર્વત્રિક ભ્રાતૃભાવથી વર્તવું એ સ્ટેઈક મતને સિદ્ધાંત હત; અને તે કુદરતને કાયદે છે એમ તે મત કહે છે. તેથી કુદરતના કાયદા પ્રમાણે સઘળાં માણસે સ્વતંત્ર અને સરખા છે. કુદરતથી કેઈ કાઈને ગુલામ નથી, અને કઈ કઈને શેઠ નથી. તેથી ગુલામગીરી કુદરતના કાયદાથી વિરૂદ્ધ છે; છતાં એ સ્થાનિક કાયદો છે, દેશનો રિવાજ છે, તેથી જ્યાં કોઈ માણસ ગુલામ છે એવી ખાત્રી ન થાય ત્યાં તેને સ્વતંત્ર ગણ એ ઈનસાફનું એક સૂત્ર ગણાવા લાગ્યું. અર્થાત અનુભવથી દેરાઈ માણસે ગમે તેવા કાયદા સારા યા નરસા બાંધે, પરંતુ તેથી આગળ કુદરતના કાયદાનું અસ્તિત્વ છે એ ઉત્તમ વિચારની સ્પષ્ટતા માટે દુનિયાએ રેમના ધારાશાસ્ત્રીઓ અને સ્ટેઈક મતવાળાને જ ઉપકાર માનવાને છે. આ પરોપકારી અને દયાળુ સૂત્રોના પરિણામે ઘણું વ્યવહાર પગી કાયદા અસ્તિત્વમાં આવ્યા. રાજકીય સૃષ્ટિમાં, રેમના શહેરી થવાને હક