________________ 112 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. વિચારમાં કેળવવાં જોઈએ, તેમને તેથી પરિચિત કરવાં જોઈએ, લેકેના અભિપ્રાય ફેરવી તેમ કરવાની તેમની ફરજ છે એવું તેમને ગળે ઉતારવું જોઈએ. આમ કર્યા સિવાય સુધારે કરવામાં કોઈ માણસને સફળતા પ્રાપ્ત ચશે નહિ. સમાજ અનુકૂળ હોય તે માણસની પ્રકૃતિ ખીલી નીકળે છે અને તેનું ઉચ્ચ શિખર એ પ્રાપ્ત કરી શકે છે. તેથી કરીને સંગેના ફેરફારની સાથે સદાચારનાં દૃષ્ટિબિંદુ પણ બદલાતાં જાય છે. અને તેથીજ કરીને નીતિને ઈતિહાસ લખે સંભવિત બને છે અને સામાન્ય ઇતિહાસમાં એને સંકલિત કરી દેવું જોઈએ. જે ધર્મના નીતિવિચાર જમાનાને અનુકૂળ હોય તે જ ધર્મ નીતિને ઉપદેશક થઈ શકે છેઅને જે તો તેમાં અનુકૂળ નથી હોતાં તેમના પ્રત્યે લેકે બેદરકાર રહે છે. - આમ મનુષ્યના નૈતિક આચરણનાં આવશ્યક તત્વે બે છે. પ્રકૃતિ અને સંજોગ. તેમાંથી સંજોગોના નિયમો વિષે આપણે ઘણું જાણીએ છીએ. રાજકીય, સામાજીક અને બુદ્ધિ વિષયક કારણોની ચારિત્ર્ય ઉપર કેવી અસર થાય છે તે સંબંધી આપણને ઘણું જ્ઞાન થયું છે. પરંતુ આપણી પ્રકૃતિનું નિયમન ક્યા કાયદાથી થાય છે, અને વ્યક્તિઓની અને મનુષ્યની જાતિઓની સ્વાભાવિક નૈતિક વિધવિધતા કેટલે દરજજે અને કયા કારણથી થાય છે તે સંબધી આપણે ભાગ્યે જ કોઈ જાણીએ છીએ. તથાપિ વૈદક શાસ્ત્રના અભ્યાસથી જેમ જેમ જાદાં જુદાં નૈતિક પૂર્વ-વલણનાં શારીરિક કારણે જતાં જશે, તેમ તેમ આ બાબતમાં આપણને વધારે વધારે જ્ઞાન હસ્તગત થતું જશે. તેથી વૈદકશાસ્ત્રને અભ્યાસ વધારવાની બહુ જરૂર છે. હજી સુધી આ શાસ્ત્ર કેવળ અજમાયશ અને પ્રયોગની દશામાં રહેલું છે. પરંતુ વરાળમંત્રાદિમાં માણસો માં રહ્યાં છે એમ જે આ શાસ્ત્રમાં તે મથ્યાં રહે છે તેમાંથી ઘણું જાણવાનું મળી આવશે. કેટલાક અસાધ્ય રોગોના કારણની હજી આપણને કોઈ માહિતી નથી; અને વૈદક સારવાર નિશ્ચયાત્મક નથી એ વાત સૌ સ્વીકારે છે. શ્વસન ક્રિયાનું વૈદું હજી બાલ્યાવસ્થામાં છે અને છતાં તે ક્રિયાથી ઘણું રેગે આપણને થાય છે અને ઘણું મટે છે. વીજળીમાં રહેલી વૈદક શક્તિને શોધ હજી લગભગ