________________ 10 વિધર્મી મહારાજ્ય. અભિલાષ હતા. પરંતુ આત્મ-સંયમનું ધરણું એણે એવું તે ઉચું રાખ્યું કે તેથી તે મત લોઢના મોટા ભાગને અને છંદગીના સાધારણ પ્રસંગને માટે કેવળ અગ્ય નીવડે. મનુષ્યનું જીવન ઇતિહાસરૂપ હોય છે, કવિતારૂપ નથી હોતું. મોટાં પરાક્રમ કરવાને કે મોટાં સંકટો વેઠવાને પ્રસંગ જીદગીમાં ક્વચિત જ આવે છે; પણ નાના નાના પ્રસંગે તે રોજ બને છે. તેથી સમાજની નીતિના નિમાયક થવાને લેભ રાખનારી સંસ્થાએ સામાન્ય માણસ અને મિશ્રિત પ્રયોજનોને ધ્યાનમાં રાખી કામ લેવું જોઈએ. અર્થાત પ્રચલિત આચરણથી નીતિનું દૃષ્ટિબિંદુ સહેજ જ ઉંચું જોઈએ. નહિતો અતિ શ્રમના ભયે લેકે તેની તરફ નજર જ કરશે નહિ. પરંતુ ઈક મત માત્ર વિરલાઓની જ શાળા હતી. સદાચાર અને દુરાચારમાં ક્રમવાર પગથી એણે સ્વીકાર્યો નહિ; સામાન્ય માણસની નીતિનાં પ્રયોજન અને વૃત્તિઓની ગણના એણે કરી નહિ; અને તેથી સ્વભાવિક રીતે જ જન–સમૂહે એ મતનો ત્યાગ કર્યો. - આત્મસંયમના આ નીતિ–શાસ્ત્રમાં મુખ્ય વાત મનુષ્યના ગૌરવની છે. ડાહ્યા માણસે પિતાના અંતરને પૂછી વાત કરવાની છે; બીજા માણસના અભિપ્રાયની દરકાર રાખવાની તેને કશી જરૂર નથી. આમ મગરૂરીને આ મતમાં પરવાનગી મળે છે, એટલું જ નહિ પણ તે નીતિનું એક મુખ્ય પ્રવર્તક તત્ત્વ બને છે. ખ્રિસ્તિ ધર્મમાં પાપનું ભાન જે અગત્યતા ભેગવે છે તે અગત્યતા આ મતમાં સદાચારનું ભાન ભોગવે છે. પાપ એટલે એક રેગ; અને ડાહ્યા માણસનું કામ તે મટાડવાનું છે, પણ તેના સંજોગે ઉપર સ્થિત એણે થવું નહિ. મરતી વખતે કરેલા પાપને માટે થતા પશ્ચાતાપને એ મતમાં સ્થાન જ નથી, અને એવા પ્રશ્ચાતાપથી ચારિત્ર્ય ઉપર વિશુદ્ધ અને ઉન્નત અસર થાય છે એ વાત પ્રાચીનકાળના લોકોને સમજાણી લાગતી જ નથી. અને નૈતિક રોગની વાસ્તવિકતા સ્વીકારવા છતાં તેમનું દૃષ્ટિ-બિન્દુ અતિ ઉચ્ચ અને ખરું કહીએ તે અપ્રાપ્ય હતું છતાં, મનુષ્યસ્વભાવમાં મુદે સર્વોત્તમતા રહેલી છે અને મનુષ્ય પિતાની ઇચ્છાથી જ સદાચારનું અતિ ઉચ્ચ શિખર પ્રાપ્ત કરી શકે જ, એ બાબતની શંકા