________________ 136 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ, હતો. “મુએલામાં જે કંઈ લાગણીઓ રહેતી હોય તે જીદગી પતિના લાંબા કેદખાનામાંથી હવે છૂટો થઈને સ્વતંત્રતાને આનંદ એ માણે છે; અને વધારે ઉચ્ચ સ્થાનેથી કુદરતની અજાએબીઓ અને મનુષ્યોનાં સપનાં કૃત્યોને એ નીહાળે છે, અને જે દિવ્ય વસ્તુઓને સમજવાને અદ્યાપિ પર્યત વ્યર્થ યત્ન એણે કર્યો હતે તે વસ્તુઓને વધારે સ્પષ્ટતાથી હવે એ જુએ છે. કાંતે તે સુખી છે અને તે તે કાંઈ નથી; તે પછી તેને માટે ગેચ મારે શા માટે કરે ? સુખીઆને શેચ કરવામાં ઈષ્ય છે; જે કાંઈ નથી તેને શોચ કરવામાં ગાંડપણ છે.” આ પ્રમાણે તત્ત્વચિંતકે કહેતા કે મુએલાંને માટે શોક કરવાનું કોઈ કારણ નથી. પરંતુ તત્વચિંતકોના અભિપ્રાયમાં આવી એકમતતા છતાં. સામાન્ય લેકને મૃત્યુની ધાસ્તી બહુ રહેતી હતી એમ ગ્રીક પુરાણોની કેટલીક કથા ઉપરથી જણાય છે. દેવની કે અસુરની તેમને મુઆ પછીની બીક બહુ લાગતી હતી તે વાતની સાબીતિ લુઝિશિયસ, સિસે અને લૂટાર્ક ના લેખમાંથી પણ મળે છે. તેથી આ ધાસ્તીને નષ્ટ કરવી એ તત્ત્વચિંતનનું કર્તવ્ય ગણાવા લાગ્યું. સ્કૂટાર્ક કહેતો કે એવી ધાસ્તી રાખવી એ દેવની ખરાબમાં ખરાબ નિંદા કરવા જેવું છે. સારા નીતિમાન માણસને પિતાની જીંદગીથી અસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી; અને પરાક્રમી પુરૂ ના મૃત્યુથી લેકેને જે પૂજ્યબુદ્ધિ તેમના પ્રત્યે થાય છે તેથી એમ જ સાબીત થાય છે કે એવા પુરૂષો ઈશ્વરને પણ વહાલા હોય છે. કારણ કે કે મૃત્યુ જે આશિરવાદરૂપ ન હોય તે એવા માણસનું મૃત્યુ ઈશ્વર શા માટે થવા દે ? ઉંઘમાં જ માણસનું મૃત્યુ થાય એવું વરદાન કેઈ સારા કામને માટે દેવે તે માણસને આપતા; અને તેવી ઘણી કથાઓ કહેવામાં આવતી. તેથી શામાટે કેઈએ મૃત્યુથી ડરવું જોઈએ ? આવા દઢ વિશ્વાસથી ડાહ્યા માણસે મૃત્યકાળે શાંત, ધીરજવાન અને પશ્ચાતાપ રહિત રહેતા હતા. સેક્રેટિસને મૃત્યુકાળ કે શાંત અને ગંભીર હતો તે પ્રસિદ્ધ છે. આથી કરીને ભકિતના પ્રકારમાં મોટો ફેરફાર થઈ ગયે, અને લેકેનું લક્ષ નીતિ ઉપર ખાસ ચેટવા લાગ્યું. ગ્રીસના સાત ડાહ્યા પુરૂષોમાં,