________________ 141 વિધર્મ મહારાજ્ય. સમજાવતી અને સાથે પોતે પણ મરતી. રેમના સ્ટઈક મતનું શિરોબિંદુ આપઘાતને સિદ્ધાંત છે. તે લેકેના મગરૂર, સ્વાશ્રયી, અને કડક સ્વભાવને અત્યંત દુઃખ અને નિરાશાના વખતે તેમને અંત આણવા આવી. ચોક્કસ બારીની જરૂર હતી. સ્ટઈક મત આશાનું કોઈ દ્વાર ખુલ્લું કરી આપતો નથી, પણ કશાથી નહિ ડરવાને ઉપદેશ એ બેશક આપે છે. મૃત્યુથી સઘળાં દુઃખનો અંત આવે છે એવા વિચારથી છદગીની ઘણી કડવાશ ઓછી થઈ જાય છે. ઈક મતમાં સદ્ગુણ અને મગરૂરી સાથે રહેલાં છે અને ઉચ્ચ ઉદેશે તેમના સંમેલનથી નીતિની કેવી સંસ્થા ઉપજી આવે તેનું દષ્ટાંત એ મત છે. “મેં તુમારી ગૌ હું” એવી સ્વભાવની કંગાળીઅત કે સ્વમાનભંગની તે મતમાં વાત જ નથી. જીવતાં કે મરતાં સદાચારી સ્ટઇક સીધે અને અક્કડ જ રહેતો હતો. પરંતુ અહીં જરીક પાછળ દષ્ટિ કરી સિંહાવલેકને આપણે કરી લઈએ કે જેથી આગળ ચાલવું વધારે સુગમ થાય. વ્યવહારમાં આચરણને નમુને ઉપસ્થિત થયા પછી જ નીતિમાં તેને અનુરૂપ સિદ્ધાંતનું બુદ્ધિપૂવિક સ્થાપન થાય છે એ નિયમ રેમને પણ લાગુ પડે છે. રેમનું પ્રજાસત્તાક રાજ્ય સૈનિક વિજયના ઉદેશે જ યોજિત થયું હતું; તેથી સૈનિક સમાજના સદાચાર અને દુરાચાર તેનામાં આવ્યા હતા. સૈનિક જીવન કમળ સદાચારને પ્રતિકૂળ અને આત્મભોગને અનુકૂળ હોય છે. જેમના કે બળની કિંમત બહુ ગણતા. લડાઈને લીધે નિરંતર કૂરતાના પરિચિત થવાથી સ્વાભાવિક દયાને એશ તેમનામાં બહુ ડે હતો. તેમની નૈતિક ભાવનાઓ લગભગ રાજકીય હતી, અને અડગ મગરૂરી તેમના સ્વભાવનું મુખ્ય તરવ હતું. તેથી તેમનામાં ખરી કમળતા કે દીનતા નહોતી, અને સૈનિક જીવનમાં એ હોવી સંભવિત પણ નથી. સાદી, ઉગ્ર, ભારેખમ, પરંતુ અશિષ્ટ નૈતિક સર્વોત્તમતા તેમનામાં પંકાતી. ઉદ્દેશની સૂક્ષ્મતા, વૃત્તિઓની રસિકતા, અને લાગણીઓની સુઘડતાની કિસ્મત તેઓ ભાગ્યે જ સમજી શકતા. પરંતુ તેઓ નિઃસ્વાર્થી અને આત્મ-ભોગ આપનારા હતા. પૈર્યથી મૃત્યુની સામે થવાને ગુણ તેમનામાં હતા. તેમની રહેણી સાદી, કરકસરવાળા,