________________ 148 યૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ભાવના નહોતી. પરંતુ સદાચાર ઈશ્વરને અંશ લેખાતે, અને તેથી સદાચારી માણસ ઈશ્વર તુલ્ય પૂજાત. રૂપાંતર પામેલા સ્ટઈક મતમાં આ વાત ધીમે ધીમે બદલાઈ ગઈ; અને મનુષ્યથી સ્વતંત્ર સગુણ ઈશ્વરની ઉપાસના થવા લાગી. એપિકટેટસ કહેત કે ઈશ્વર છે અને તે સર્વજ્ઞ છે એ વાત પ્રથમ શીખવાની છે. ઓરડાનાં બારણાં બંધ કરી અંધારામાં તમે ગુપચુપ બેઠા તે ઉપરથી એમ ન સમજશે કે ત્યાં તમે એકલા જ છે; કારણ કે ઓરડામાં ઈશ્વર પણ છે. આવા પ્રભુનાં યશોગાન ગાઓ ! આવી ધર્મભાવના “માર્કસ ઓરેલિયસનાં મનન’ નામના પુસ્તકમાં પણ દેખાય છે. છતાં બન્નેના વિચારમાં એક ભેદ છે. એપિકટેટસના મત પ્રમાણે મનુષ્ય ઇશ્વરનું સંતાન હોવાથી ભવ્ય સદાચારના બળે ઈશ્વરની તુલ્ય થવાની તેનામાં શક્તિ છે. તેથી મનુષ્ય ગવિષ્ટ ન થવું, છતાં પિતાની આ શક્તિને શાંત અને ગંભીર વિશ્વાસ તે એને હવે જ જોઈએ. માર્કસ ઓરેલિયસ કહે કે મનુષ્ય સબળ નહિ, પણ બહુ નિબળ પ્રાણું છે. ગમે તેવો સદાચારી માણસ પણ અંતે નિર્બળ છે. માણસ તે માણસ અને પ્રભુ તે પ્રભુ, ખ્રિસ્તિ ધર્મ “દીનતા” ને જે પાઠ શીખવે છે તેને આ વાત સાનુકૂળ છે. બીજું રૂપાંતર એ થયું કે સ્ટઈક મત પાછળથી વધારે વધારે અંતરાભિમુખ થતું ગયો. અને તેથી આત્મ-નિરીક્ષણ અને વિચારની વિશુદ્ધિ અગ્રસ્થાને આવ્યાં. તેથી રાત્રીએ સૂતી વખતે પિતાનાં કાર્યો અને વિચા. રોને તપાસી જેવાને પ્રચાર વધતો ગયો. કાર્યો ઉપર જ માણસના વિચારે પ્રથમ સ્થિત થતા તે હવે ભાવનાઓ અને અંતરના વિચાર ઉપર સ્થિત થવા લાગ્યા; અને ભાવનાઓને કેળપવાનું કર્તવ્ય સમજાવા લાગ્યું. દેવની આરાધના ધર્મ ક્રિયાથી નહિ, પણ શુદ્ધ ભાવનાથી થવી જોઈએ એ વિચાર પ્રબળ થે. હૃદયની ભાવનાઓ એવી રીતે કેળવાવી જોઈએ કે કોઈ સુંદર સ્ત્રીને જોઈ “તેના સ્વામીના અહો ભાગ્ય!” એટલે પણ ઉદ્દગાર અંતરમાં ન ઉઠે. અત્યંત જાગ્રતિથી માણસે પિતાના અંતરના વિચારોનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. : આવા સિદ્ધાંતનું સર્વોતમ દષ્ટાંત માર્કસ ઓરેલિયસ પતે જ હો.