________________ 158 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. આ પ્રમાણે તેમને તાત વર્ગ વિલાસને લીધે ભ્રષ્ટ અને પતિત થઈ ગયો; અને ગરીબ વર્ગ સુસ્ત અને નિરૂદ્યમી બની રહ્યો. પણ બને વર્ગ તરવારના પ્રાણઘાતક બેલેની જંગલી કૂરતામાં આનંદ અને ગમત માનતા એ વાતથી આપણું હૈયું ફાટી જાય છે. આ ખેલને બનાવ રેમના નીતિના ઈતિહાસમાં ઘણે વિસ્મયકારક અને ખેદનીય છે. તથાપિ તે વાત નીતિના સ્વાભાવિક વિકાસક્રમ પ્રમાણે સમજી શકાય એવી છે. કે મોટા માણસની કબર ઉપર મરેલાની શાંતિ અર્થ માણસોને અરસપરસ લડાવી તેમનું લેહી ત્યાં રેડવું એ પ્રથમ ધાર્મિક ક્રિયા ગણાતી હતી. પછી એનું કારણ અપાતું કે લડાઈમાં ગયા પૂર્વે સિપાઈઓને હિમતથી મરતાં શીખવવા માટે એવી રમતની જરૂર છે. સિવાય લેકેને બીજા લાભ પણ તેથી થતા. શહેશાહને અરજીઓ આપવાને અને અમલદારે વિરુદ્ધ ફરિયાદ કરવાને લેકોને તેથી પ્રસંગ મળત. એવું કહેવાય છે કે ઈ. સ. પૂર્વે 264 માં એ રમત રમમાં પ્રથમ દાખલ થઈ હતી. પણ પ્રજાસત્તાક રાજ્યના અંત સમયમાં પછી એ રમત સાધારણથઈ પડી હતી અને અમરેની મીજમાનીમાં પણ એ રમત રમાવા લાગી હતી. વખત જતાં એ રમત કપ્રિય થવાનું એક સાધન ગણાવા લાગી; અને સીઝર અને પમ્પીની હરીફાઈને લીધે એ રમતને પ્રચાર બહુ વધી પડે. પિમ્પીએ માણસ અને જનાવરની સાઠમારી શરૂ કરી. સીઝરે એ રમતને માટે ખાસ નાટકશાળા બંધાવી અને તેમાં રેશમી ચંદર બંધાવ્યું. મોટાં માણસે પિતાનાં મુએલાં સગાંના માનમાં, અમલદારોને અમલદારી મળતાં, વિજેતાઓ લોકપ્રિય થવા, અને તાલેવંત વેપારીઓ મોટા, ગણવા, એ રમત મોટા પાયા ઉપર કરાવતા; અર્થાત દરેક ખુશાલીના પ્રસગે એ રમત રમાવા લાગી. પ્રથમ તો એમાં ગુલામે અને ગુનેગાર જ ભાગ લેતા, પરંતુ પાછળથી તેમાં બધા ભાગ લેવા લાગ્યા. પૈસાનો લેભ, લેકેની શાબાસી, અમરેની અને વખતે શહેનશાહની પણ તેથી કરીને થતી મેહેરબાની, ઇત્યાદિ કારણેને લીધે તે રમતમાં સમાએલું મેતનું જોખમ પણ તુચ્છ ગણાવા લાગ્યું. અને ખેલાડી અને પ્રેક્ષક વર્ગ