________________ વિધમી મહારાજ્ય 149 તે સ્વભાવે સરલ, બાળકવત્ નિર્દોષ. અને અત્યંત સ્નેહાળ હતો. બુદ્ધિની પ્રબળતા રહિત, ચંચળ અને સાર્વજનિક પ્રવૃત્તિ કરતાં મનન, વિચાર, એકાંત અને મૈત્રીની વધારે ઈચ્છાવાળે, રાજાની જાહોજલાલી અને વૈભવનો તદન નિસ્પૃહી, વિદ્વત્તાના ડોળને કાંઈક શોખીન એ આ રેમને શેહેનશાહ મનને મજબુત કરે એવા ઝીનના તત્વજ્ઞાનને શિષ્ય થયો; અને એ તત્ત્વજ્ઞાને એને સંપૂર્ણ સદાચારી બનાવ્યું. તેના સમયમાં રેમને જનસમાજ તદન સડી ગયો હતો અને દુરાચારને માટે રોમ મશ હુર હતું. છતાં લેકે એને ઇશ્વરરૂપ માનતા. એના “મનન'માં એના આંત રિક વિચારો અને ભાવનાઓ સુસ્પષ્ટ રીતે આલેખાયાં છે. એના હૃદય ની વિશુદ્ધિ સ્થિર તારાના ચકચકિત પ્રકાશ જેવી હતી. વિશાળ રાજ્યને શહેનશાહ છતાં સઘળાં માણસોને સરખાં ગણવાને તેના હૃદયને ઉત્તમ લભ હતો અને પ્રજાગણની સ્વતંત્રતાને માન આપવાનું પિતાનું કર્તવ્ય એ ગણતો. રાજકીય કુશળતાની ખામી છતાં સતત ઉદ્યોગ અને ખંતથી પિતાને પ્રાપ્ત થએલ મહાન પદવીનાં કર્તવ્ય એ કરતો. છતાં નાની નાની બાબતમાં પણ સભ્યતા અને સદાચાર સાચવવાને તેને આગ્રહ હતો. કોઈ વિલાસ વૃત્તિને પિતાની કલ્પનામાં પણ એ પેસવા દે નહિ. સ્વભાવ કે વિચારમાં જરીક પણ ભૂલ થતી તે ખંતથી તેને એ સુધારી લેતો. અને આ બધું એક શહેનશાહ કરેતે ! પરંતુ તેની ખરી ખુબી તે એ છે કે લેક–પ્રેમથી દોરાઈ પિતાના ઉત્તમ વિચારેને અમલમાં મૂકવા કાંઈ પણ ધમાંધતા કે જુલમ એણે કયો નથી. સાધારણ માણસે પણ પિતાના વિચાર મનાવી સંસાર-સુધારો કરવાના ખતી હોય છે. અને આ કે માણસ જે રાજા હોય તે કાયદાથી લેકેને અંકુશમાં મેલી સુધારાને નામે જરૂર એ જુલમ કરશે. પણ માર્કસ ઓરેલિયસ આવી લાલચને વશ કદિ થયે નહે. તે કહેતો કે પ્લેટનું પ્રજાસત્તાક રાજ્ય આ દુનિયામાં અશકય છે. શયદાથી બળાત્કારે કરેલે સુધારે લોકોને કૃત્રિમ અને દાંભિક બનાવે છે. માણસોના વિચાર બદલાય, તે સુધારે એની મેળે થાય; અને માણસના વિચાર બદલાવવા કેણ સમર્થ છે ? તેથી કરીને બને