________________ 144 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ >> જીત માન્ય ધર્મોને નાશ થયો અને પરિપકવ સુધારા અને વિશાળ જ્ઞાનની સામે એકદેશી સાંકડા વિચાર ટકી શક્યા નહિ. આ બુદ્ધિવિષયક કારણની સાથે રાજકીય કારણે પણ ભળ્યાં. સાર્વભૌમ રાજ્ય સ્થાપવાની અલેકઝાંડરની આકાંક્ષાએ સ્પાર્ટી અને એથેન્સની કીર્તિને ઝાંખી કરી નાખી; ભેદ-દષ્ટિને દૂર રાખી છતાએલી પ્રજાને મોટા મોટા હક એણે આપ્યા; અને અલેક્ઝાંડિયા શહેરને વેપાર અને મિત્રતત્ત્વજ્ઞાનનું કેદ્ર સ્થાપ્યું. આ બને જાતનાં કારણોથી ગ્રીક પ્રજા સર્વ પ્રત્યે સમાનદષ્ટિથી જોતાં શીખી. - આવા ગ્રીક લેકે ઉપર રેમન લેકેએ વિજય તે મેળવ્યો, પણ ભાષા, વિચાર અને તત્વજ્ઞાનમાં ગ્રીક લોકે તેમનાથી ચઢીઆતા હતા; તેથી રમના લેકે ઉપર તેમની જબરી છાપ પડવા લાગી. રેમને સર્વેતમ સદાચાર એંઈક મતદ્વારા પ્રતીત થવા લાગ્યો, અને દુરાચાર એપિ. કયુરેસને મતથી આચ્છાદિત થવા લાગ્યો. સારાં પુસ્તકે ગ્રીક ભાષામાં લખાવા લાગ્યાં; અને ગ્રીક કારીગરે રેમમાં ઉભરાવા લાગ્યા. નાટકશાળાઓ શરૂ થઈ અને ગ્રીક ગુલામો મટી મેરી કિંમતે ખરીદવા લાગ્યા. એથેન્સની હરકોઈ સુંદર વસ્તુ રેમમાં આવવા લાગી. રેમની મૂળ સાદાઈ આમ નષ્ટ થવા લાગી, પણ સહૃદયતા વધવા લાગી. એ જ સમયે એક બીજો મોટો ફેરફાર પણ રેમમાં થતો હતો. અમીર વર્ગ અને સામાન્ય લેકે વચ્ચે કુસંપ વધતાં માંહોમાંહે લડાઈઓ થવા લાગી અને પરિણામે સીઝરનું જોર વધતાં રમમાં શહેનશાહતની સ્થાપના થઈ. વર્ગ-ભેદ શહેનશાહતને પ્રતિકૂળ જણાયે અને તેથી શહેનશાહ અમીરવર્ગને કચરવા લાગ્યા અને લોકોને ખુશી કરી તેમને પ્રિય થવાનો પ્રયાસ કરવા લાગ્યા. આથી ઘણું અમીરોને ઘાણ વળી ગયો અને બાકીના સાર્વજનિક રમતગમત અને મેજવિલાસના ખરચમાં ડૂબી ગયા. બીજી તરફથી નવીન વર્ગમાં પૈસે વધવા લાગે અને સામાન્ય વર્ગના લોકો શહેનશાહના માનીતા થઈ રાજ્યમાં મોટા મોટા અધિકાર ભોગવવા લાગ્યા અને કંઈ કંઈ ઉથલપાથલ કરવા લાગ્યા. - આમ વર્ગભેદ ભૂંસાવા લાગે અને રેમની રાજસભામાં પ્રથમ રોમ