________________ યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. બનાવતા હતા. “કેમ મરવું એ નહિ, પણ કેમ જીવવું એ ડાહ્યા માણસના મનનો વિષય હોય છે, અને એ કોઈ વિષય નથી કે જેના ઉપર ડાહ્યા માણસ મૃત્યુ કરતાં ઓછો વિચાર કરશે” એ સ્પિનેઝાના વચનમાં ગંભીર સત્ય સમાએલું છે. ચંચળ કર્તવ્યપરાયણતાનું જીવન એ મૃત્યુની સૌથી ઉત્તમ તૈયારી છે. અને તેને વિચાર નિરંતર નજર સમુખ રાખવાથી તેનું દુ:ખ ઓછું કરવાને ઉદ્દેશ ઘણું કરીને પાર પડતું જ નથી અને ઉલટું ચારિત્ર્ય વિકળ, ઉશ્કેરાએલું અને ગમગીન તેથી બની જાય છે; માનુષી પ્રગતિને આવશ્યક ઉત્સાહ અને ઉન્નતિને લેભ નષ્ટ થાય છે, અને ઘણીવાર લાગણીઓમાં મંદતા અને જડતા આવી જાય છે. એવી દંતકથા છે કે આયરલાંડમાં જીવન અને મૃત્યુના બે ટાપુ હતા. આ બે ટાપુઓ મન્સટરના એક સરોવરમાં હતા. એક ટાપુમાં મૃત્યુનો પ્રવેશ બિલકુલ નહોત, પણ વૃદ્ધાવસ્થા, મંદવાડ, જદગીને કંટાળે, અને ભયાનક દુઃખના ઉફાળાથી લેકે બહુ પરિચિત થતા. અંતે લેકે પિતાની અમરતાના કાયર કાયર થઈ ગયા અને પેલા બીજા ટાપુને શાંતિનું સ્થાન ગણવા લાગ્યા. તેથી તેઓ ત્યાં ગયા ત્યારે જ તેઓને શાંતિ મળી. મૃત્યુ પ્રત્યે સ્ટઈક તત્વવેત્તાઓની દૃષ્ટિ કેવી હતી તે આ દંતકથા ઉપરથી બરાબર જણાઈ આવશે. મુઆ પછી આત્માની શી ગતિ થાય છે તે સંબધી પ્રાચીન તત્વવેત્તાઓમાં મતભિન્નત્વ ઘણું હતું. પરંતુ મેત એ માત્ર કુદરતી વિસામો છે અને મતની બીક માત્ર રેગી કલ્પનાનું જ પરિણામ છે એ વિચારમાં સૌ એકમત હતા. મેત જ માત્ર એવું સંકટ છે કે જે આપણી હયાતીમાં આપણને કાંઈ કરી શકતું નથી. આપણે હોઈએ ત્યારે મેત હેતું નથી, અને મોત આવે ત્યારે આપણે હેતા નથી. હદગીના અંતે જ મોત હોય છે એ વાત ખોટી છે; આગળ પણ હોય છે. મએલાં અને નહિ જન્મેલાં સરખાં જ છે. મરવું એટલે જનમ્યા પહેલા જેવા હતા તેવા થવાનું છે. ઓલવાઈ ગએલા દીવાની અવસ્થા, પ્રગટયા પૂર્વે તેની જે અવસ્થા હોય તેના જેવી જ સમજવી. સધળા દુ:ખને અંત તે મત. મતથી સુખની પ્રાપ્તિ થાય છે અથવા તે દુ:ખનો