________________ 132 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કરે છે. ખરાબ માણસની આબાદી અંતે તેમની અધોગતિ જ સૂચવે છે. નીતિને જે ગર્વ એક રીતે તેમના મતમાં ઉપસ્થિત થતો હતો તે, પ્રભુની દીર્ધ દૃષ્ટિને ઉદ્દેશીને બોલાએલાં આવાં વચનોથી બેશક ઓછો થઈ જાય છે. આઈક ઉપદેશકને આશય પણ તેજ હતા અને તેમાં તેઓને પ્રયાસ સફળ થયો હતો. પરંતુ એ જ પ્રયાસમાં એક બીજું જોખમ સમાએલું હતું, અને સઘળા જમાનાનાં ઘણાં નીતિ-દર્શનનાં વહાણ એ જેખમના ખરાબે અથડાઈ ભાંગી ગયાં છે; કારણ કે તેથી કેવળ પ્રારબ્ધવાદી થઈ જતાં માણસો કદાચ વ્યાવહારિક સદાચારમાં પ્રવૃત્ત જ થાય નહિ, અને જે થાય તે મૂરો માંહે સહન કરી જેમાં કરે; અને સમાજની ઘણું ખરી દશાઓમાં એમ જ બને છે. પરંતુ સુભાગ્યે, પ્રાચીન સંસ્કૃતિમાં સદાચારને વિચાર રાજકીય ચંચળતાની સાથે એટલે બધો જોડાએલે રહ્યો હતો કે લાંબા કાળ સુધી આ જોખમ કેવળ દૂર રહ્યું હતું. પ્રાચીન કાળમાં મનુષ્યના વિચારમાં જે પ્રાધાન્ય રાજ્ય-સંસ્થા ભોગવતી હતી તેવું પ્રાધાન્ય અર્વાચીન સમયમાં એને કદિ પ્રાપ્ત થયું નથી. તે કાળે નૈતિક અને બુદ્ધિ મય જીવનની રગેરગમાં સ્વદેશાભિમાનની અસરનો ધમધમાટ ચાલી રહ્યો હતો. અતિ ગંભીર તત્વો, અતિ વિશુદ્ધ નીતિ-વેત્તાઓ, ઉંચી પ્રતિમા કવિઓ, લડવૈયા અને રાજદ્વારી પુરૂષ તે વખતે હતા. તેથી કરીને નીતિના પ્રાચીન સિદ્ધાંતમાં શહેરી સદાચારને પ્રસંગોપાત વધારે પડતું પ્રાધાન્ય અપાતું હતું એટલું જ નહિ પણ રાજ્યના હિતની ખાતર આપણને કંટાળા ઉપજાવે એવા રિવાજ પણ રાજ્યમાં દાખલ કરવાની હિમાયત તત્વચિંતકે એ કરી છે. આ ઉદેશે સ્ત્રીઓના સામાન્ય ભોગવટાની હિમાયત પ્લેટોએ કરી છે. પિતાના નૈતિક ધારાને પાયે એરિસ્ટોટલે ગ્રીક લેક અને જંગલીઓના ભેદને લગભગ બનાવ્યું હતું. સ્પાટર્ડના કાયદા બહુ વખણતા હતા. બુદ્ધિ અને રાજકીય ચંચળતાના આ સંયોગથી નીતિના સિદ્ધાતિમાં પણ સ્વદેશાભિમાન મનુષ્યનું મુખ્ય કર્તવ્ય ગણવા લાગ્યું હતું. અર્વાચીન ઉપદેશકના સિદ્ધાંતમાં સ્વદેશાભિમાન એવું અગ્રસ્થાન ભગવતું નથી. એનેક્ષાગોરસ જેવું કંઈ ઉચે આકાશ તરફ આંગળી બતાવી