________________ 130 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. તે સમયે ઘણું થડાને થતી. હેમર ઇત્યાદિ કવિઓ કેવળ પ્રારબ્ધવાદી હતા; બધું ઇદની ઈચ્છાથી બને છે એમ તેઓ માનતા. પરંતુ રેમન ટેંઈકે પુરૂષાર્થવાદી હતા. ભાગ્યની વિભુતિઓ ઈશ્વર ગમે તેમ વેરે, અથવા કોઈ કાર્યની સફળતા કે નિષ્ફળતાની વાત ભલે એ પિતાના હાથમાં રાખે, પણ આપણુ વિચાર અને વૃત્તિઓના ધણી તે આપણે જ છીએ, એવા વિચાર તેમને માન્ય હતા. નીતિની બાબતમાં માણસ દેવોની સાથે પણ હરીફાઈમાં ઉતરી શકે એમ છે. નીતિ બધાની છે, શું દેવોની એકલાની છે? તેથી જ સિસે કહે કે આપણે સદાચાર આપણે જ મેળવેલ હોવાથી તેની ખુમારી આપણને રહે તે વાજબી છે. જે વસ્તુ આપણે જ મેળવી શકીએ એવી છે તેને માટે વળી પ્રભુની પ્રાર્થના શી ? સદાચારની પ્રાપ્તિ આપણને ઈશ્વર કરાવી શકે એમ નથી. તે તે આપણે પોતે જ કરવાની છે. “ઈશ્વર જંદગી આપે છે, દ્રવ્ય આપે છે, પણ મારા મનની શાંતિ તે હું જ કરે છું.” જે વાત આપણાથી બની શકે એવી નથી તેને જ માટે પ્રભુની પ્રાર્થના કરવી ઘટે છે. લક્રિશીઅસ કહેતા કે ખરો દેવ તે એપિક્યુરસ છે, કે જેણે નીતિના નિયમે જગતને આપ્યા. સેનિકા કહે છે કે એક બાબતમાં માણસ ઈશ્વરથી પણ ચડી આવે છે. ઈશ્વરની નિડરતા એને સ્વભાવથી પ્રાપ્ત છે, પણ ડાહ્યા માણસને એ પિતાથી પ્રાપ્ત છે. ઈશ્વર અમર છે. એટલી જ એનામાં વિશેષતા છે. એપિકટેટસ કહે કે બુરું કે સારું પિતાને પિતાથી જ પ્રાપ્ત છે એમ ડાહ્યા માણસ સમજે છે. આમ મનુષ્ય અને ઈશ્વર લગભગ સરખા ગણાતા હતા. પરંતુ સ્ટઈક મતમાં ઈશ્વર સંબંધી વિચાર અસ્પષ્ટ, અયુક્ત અને કેટલેક ઠેકાણે અસંગત પણ છે. તત્ત્વજ્ઞાનમાં તે મત સર્વાત્મવાદ કિવા સર્વેશ્વરવાદ સ્વીકારે છે. આ વાદમાં ઈશ્વર અને કુદરતના પ્રદેશ અભિન્ન હોય છે. પરંતુ કુદરતમાં દીર્ધ દૃષ્ટિથી કામ થતું જોવામાં આવે છે. આ દીર્ધ દૃષ્ટિ અને નૈતિક શ્રેષ્ઠતા આ બે રૂપે સ્ટઈક મતમાં ઈશ્વર પૂજાતા હતો; અને માણસને આત્મા એ ઈશ્વરથી છૂટો પડેલો તેને અંશ માત્ર છે, અથવા ઈશ્વર ચેતનથી વ્યાપ્ત વસ્તુ છે. તેથી ઈશ્વરની પ્રેરણા વિના