________________ વિધમ મહારાજ્ય. 133 કહેતું કે અમારે ખરે દેશ તો ત્યાં જ છે અને તેથી દેશનિકાલમાં કાંઈ દુઃખ એ માનતું નહિ. પણ આવા વિચાર સમયના પ્રચલિત પવનથી તદ્દન વિરૂદ્ધ જ હતા. સ્વદેશાભિમાન ઉંચી પ્રતિનું નૈતિક કર્તવ્ય ગણાતું, અને વહાલામાં વહાલા સગા કરતાં પણ પિતાને દેશ માણસને વધારે વહાલે હતા; અને જે માણસ પિતાના દેશને માટે મરવાની જરીક પણ આનાકાની કરે તેને સારે માણસ કઈ ગણતું નહિ. કવચિત કવચિત શાંત, એકાંતવાસી જીદગી ગુજારવાના રણકારા આપણે સાંભળીએ છીએ, પરંતુ સામાન્ય રીતે રાજકીય જીવનમાં ભાગ લેવાનું કર્તવ્ય ગણાતું. સિસેરે કહેતા કે પ્રવૃત્તિમાં જ સઘળા સદાચાર સમાએલે છે. જનસમાજ એવું મંડળ છે કે તેના દરેક અવયવે આખા સમાજનું ભલું થાય એવી રીતે વર્તવું જ જોઈએ એ ઈક મતનું મુખ્ય સૂત્ર હતું. આમ સ્વદેશાભિમાનને લીધે જ પ્રાચીન લેકેની નીતિ વ્યવહારપ્રિય રહી હતી અને સ્ટઈક મતના ઉપદેશને અનુસાર જુલમના અતિ વિષાદમય સમયમાં પિતાના દેશને સ્વતંત્ર કરવા અર્થે અનેક વીરેએ પોતાના પ્રાણ પણ આપ્યા હતા. કર્તવ્યની આવી સમજવાળા, કામ ક્રોધાદિ વિકારેને કબજામાં રાખવા સમર્થ, અને શાંત ગૌરવ યુક્ત ચિત્તવાળાં રેમન ન મરવાને તૈયાર જ રહેતા; અને તત્ત્વચિંતનને મુખ્ય ઉદ્દેશ પણ માણસોને મોત માટે તૈયાર કરવાને ગણતે. ભાગની વિભુતિઓ મુઆ પછી કાંઈ કામની નથી, તેથી તેમની દરકાર જ મનને શા માટે રહેવી જોઈએ ? અને વહેમી ધાસ્તીઓ નાબુદ થવાથી તેમનું ચારિત્ર્ય આત્માશ્રયી અને ભવ્ય થતું. સ્ટેઈકમતનું પરમ દૃષ્ટિબિંદુ પણ એ જ હતું. પરંતુ મૃત્યુ પરત્વે ભવ્ય ઉપદેશ તેમના જેવો જો કે કઈ તત્ત્વવેત્તાઓએ આપ્યો નથી, અથવા તો તેમના જેટલા શાંત વૈર્યથી મૃત્યુની સન્મુખ કઈ થયા નથી, તે પણ તેમના નિરંતર ઉપદેશથી મૃત્યુને રોગી અગત્યતાનું સ્થાન તેમનામાં પ્રાપ્ત થયું અને જીવનનો તેમને આખો વિચાર તેથી વિરૂપ થઈ ગયો હતો એ વાતની ભાગ્યે જ ના પડાશે. બેકન કહે છે તેમ સ્ટઈક મતવાળાઓએ મૃત્યુની કિંમત અતિ મોટી આંકી હતી, અને મૃત્યુની તૈયારીઓથી મૃત્યુને વધારે બીહામણું તેઓ