________________ વિધર્મી મહારાજ્ય. 131 કે માણસ મહાન થઈ શકતો નથી. ઈશ્વર બધે છે, આપણુ અંતરમાં પણ છે. અંતર્યામિ દેવતા એટલે જ ઈશ્વર. આ ઈશ્વરને પૂજવા જોઈએ. જે બધું તારામાં છે તે ઈશ્વરનું છે. ઈક લેખકોના લેખમાં આવાં વચને ઓછાં નથી. પરંતુ ઘણું કરીને તેઓ સદ્દગુણને ઈશ્વરની નકલ કરતું માનુષી કાર્ય જ લેખે છે. “ઈશ્વરની પછવાડે ચાલે " એવું જે પ્લેટનું સૂત્ર હતું તેને આવો અર્થ હતો અને આઇક લકે તેનું વારંવાર કથન કરતા. એમાંથી હૃદયને સ્પર્શ કરે એવા અને સુંદર ભક્તિભાવને ઉપદેશ તેઓ ખીલવતા; અને તેની સાથે ઈશ્વરની દીર્ધ દૃષ્ટિથી જે કાંઈ થાય તેને સંપૂર્ણ શ્રદ્ધાથી અને નિઃશંક મને તાબે થવાની ફરજ તેઓ ઉમેરતા. આપણું જીવનમાં રહેલા વિકાર તત્ત્વને જે અત્યંત અણગમો તેમને હતા તેમને આ ઉમેરાથી બહુ પુષ્ટિ મળતી. પિતાને નિર્મિત પાઠ જ માણસે ભજવવાને હોવાથી, રોવું, કળવું કે બડબડાટ કરે એ પ્રભુની સામે થવા જેવું છે. " એ પાઠ ટ્રકે હોય કે લાંબો હોય, " પણ તે ભજવવાને જ છે. " જે પ્રભુની ઈચ્છા એવી હે કે તારે ગરીબને પાઠ ભજવે, તે આનંદથી તારે તેમ કરવું. લૂલા લંગડાને, રાજ હાકેમ કે ખાનગી માણસને કદિ તારે પાઠ ભજવવાને હોય; પણું પ્રમાણિક્તાથી તે તારે ભજવે. " " કઈ પણ તારી વસ્તુ ગઈ છે– ગુમાવી છે એવું કદિ બેલીશ નહિ; પણ તે વસ્તુઓ તે પાછી સેંપી દીધી છે એમ જ કહેજે. તારી સ્ત્રી અને છોકરું મરી જાય, તે મૂળ ધણને તેં પાછાં એમને સોંપી દીધાં છે. તારું ખેતર તારી પાસેથી ગયું તે તે પણ પાછું સોંપી દીધું; દુષ્ટ માણસે તારી પાસેથી તે ખેંચી લીધું. તે જે પ્રભુએ તને એ આપ્યું હતું તે ગમે તે રસ્તે પાછું લઈ લે તેની તારે શી પીડા? " " પ્રભુ કોઈ સારા માણસને આબાદીમાં રાખતા નથી; તે પ્રભુ તેની પરીક્ષા કરે છે, તેને તાવી દઢ કરે છે, અને પિતાને જ માટે એને તૈયાર કરે છે. " " જેના ઉપર પ્રભુને પ્રેમ છે, તેને જ દુઃખી કરી એ નાણે છે; પણ જેને લડાવે છે તેને ભવિષ્યમાં દુઃખ દેવા માટે એ બચાવે છે.” અર્થાત સારા માણસને દુઃખ દેવામાં પ્રભુ તેની પરીક્ષા જે