________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 117 ભિમાની હતો, ધાર્મિક નહોત; અને જે કે તેની ધર્મ ક્રિયામાં મિશ્રિત થઈ કેટલાક ઉંચા સદાચાર લોકમાં દૃઢ થયા હતા, અને તેથી લોકોનાં જીવન એકંદરે સાદાં અને ગંભીર બન્યાં હતાં, પણ એ ધર્મથી ઈશ્વરીક પ્રેરણા કદિ કાઈને થઈ નહોતી. પરંતુ આ સાદું અને ગંભીર જીવન પણ, પ્રજાતંત્રના અસ્તિકાળમાં અને સાર્વભૌમ રાજ્યના ઉદયકાળમાં, તેમનામાં રહ્યું નહિ; કારણ કે રેમન લેકે જેમ જેમ વિજય કરતા ગયા, તેમ તેમ તેમનામાં મજશેખ અને વિલાસની વૃત્તિ વધતી ગઈ. પ્રજાતંત્રની સામાજીક અને રાજકીય વ્યવસ્થા તદન ઉંધી વળી ગઈ, મહેમાંહે વિગ્રહ થવા લાગ્યા, નવા નવા પરદેશીઓના આગમનની સાથે તત્ત્વજ્ઞાનના નવા નવા સિદ્ધાંત, રીતરિવાજ અને દેવોના વિચાર દાખલ થવા લાગ્યા, અને તેથી કરીને સદાચારનાં જૂનાં બંધને અદશ્ય થઈ ગયાં ધર્મને લીધે નીતિ ઉપર જે છાપ પડી હતી તે લગભગ ભુંસાઈ ગઈ: પૂજ્ય બુદ્ધિને નાશ થયો અને લોકે દેવને પથરા મારવા લાગ્યા. અધુરામાં પૂરું, દેવને બદલે પાદશાહ પોતે જ પૂજાવા લાગ્યા. આથી વિશેષ ધર્મની ભ્રષ્ટ દશા પછી શી હેય ! મંદીરમાં જે દેવની પૂજા થતી તે જ દેવની નાટકશાળામાં હાંસી થતી. લેકે વેહેમી મટયા નહતા, પણ નવા નવા ધર્મ તેઓ માનવા લાગ્યા હતા અને મંતર જંતરને વેહેમ વધી પડ્યો હતો. દેવેનું અસ્તિત્વ લેકે સ્વીકારતા નહિ, છતાં ભવિષ્યકથન, શુકન, સ્વમ અને દૈવી ચમત્કારમાં તેમની સેપૂર્ણ શ્રદ્ધા હતી. ધૂમકેતુ, ખરતા તારા, ધરતીકંપ કે વિલક્ષણ જન્મની કેક ગુપ્ત અને જાદુઈ અસર ધારવામાં આવતી અને તેથી તેનું કાઈક પ્રકારે અનિષ્ટ સૂચન થતું મનાતું; અને ગ્રહવિદ્યાનું વજન વધી પડયું. આવા ધર્મમાં નીતિના ઉપદેશક થવાનું સામર્થ્ય હેતું નથી. તેથી કરીને હવે તત્ત્વોના સિદ્ધાંત પ્રતિ જ દૃષ્ટિ કરવાની રહે છે. અને ગ્રીસના સંસર્ગથી બે મત રોમમાં દાખલ થયા હતા એ વાત આપણે ઉપર કહી છે.. - હવે પિતાના સ્વભાવ ઉપરથી માણસ પિતાને સિદ્ધાંત રચે છે. કોઈ માણસ આકરે, કડક અને સીધો, મનોનિગ્રહ વાળા, હિમ્મતવાન, માત્ર