________________ વિધર્મી મહારાજ્ય. - આમ હોવાથી, નીતિના ઉપદેશમાં રચનાત્મક કિંવા નિશ્ચિત અસર ઉપજાવવાનું કામ એંઈક મતને માથે આવી પડયું. આ મતમાં બે વાત મુખ્ય છે-ખસુસ કરીને ઈચ્છવાની અને મેળવવાની વાજબી વસ્તુ માત્ર સદાચાર છે, બીજું કશું નહિ; અને વિવેકબુદ્ધિની શ્રેષ્ઠતા એટલી બધી છે કે કામ ક્રોધાદિ ષડ વિકારોને કેવળ દાબી જ દેવાના છે. અર્થાત વિવેકબુદ્ધિને વશ રહી સદાચાર પાળવા સિવાય માણસનું બીજું કઈ કર્તવ્ય નથી, અને ડાહ્યા માણસમાં કામ ક્રોધાદિ વિકાનું નામ પણ હોવું જોઈએ નહિ. કેટલાક તત્તવો કહેવા લાગ્યા કે આમાં અતિશયોક્તિ છે, કારણ કે સ્વાર્થેથી સ્વતંત્ર સદાચાર મનુષ્યની અંદગીને મુખ્ય ઉદ્દેશ હવે જોઈએ એ ખરું, તથાપિ સુખ પણ સારી વસ્તુ છે અને તેને માટે કાંઈક દરકાર રાખવી વાજબી છે. અતિશયોક્તિનું બીજું કારણ એ છે કે કામ ક્રોધાદિ વિકારોને વિવેકબુદ્ધિના કબજામાં રાખવા તેનું નામ સદાચાર છે એ વાત ખરી, પણ અમુક હદમાં તે વિકારની તૃપ્તિ પણ વાજબી છે. છતાં નીતિમાં નિઃસ્વાર્થતાનું દૃષ્ટિબિંદુ અને વિકારે ઉપર શક્તિને અંકુશ—આ બે સ્ટઈક મતનાં મુખ્ય લક્ષણે તેઓ સ્વીકારે છે. હવે રોમન લોકોને આ મત કેમ અનુકૂળ થયો તે આપણે તપાસીએ. પ્રથમ લક્ષણ સ્વદેશાભિમાનની વૃત્તિને કેવળ અનુકૂળ હોય છે. સ્વદેશાભિમાની રેમન નો જબરા આત્મ-ભોગ આપી મહાન પરાક્રમો કરવામાં મશહુર હતા અને તેમાં કીર્તિ મેળવવાની કે અમર થવાની આશા પણ તેમણે રાખી નથી. માત્ર દેશની દાઝે પિનાના પ્રિય પ્રાણનો ત્યાગ તેમણે ઘણી ખુશીથી કર્યો છે. આવા પરાક્રમી નરેના દૃષ્ટાન્તભૂત જીવનથી સ્વાર્થ અને કર્તવ્યના ભેદની સ્પષ્ટ અને ચોખ્ખી લાગણી રોમન લેકમાં ઉત્પન્ન થઈ હતી; અને સ્ટીઈક મતમાં પણ એ વાત મુખ્ય હતી. - માણસોની પ્રવૃત્તિ સદાચારમાં કરાવવા ઉપદેશકે નીતિનાં ચાર પ્રયોજનો બતાવે છે. પ્રથમ-કાર્યો કિંવા બનાવોની વ્યવસ્થા એવી છે કે સદાચારી સુખી થશે અને દુરાચારી દુઃખી થશે, કારણ કે સમાજને અનુસરીને જે ન ચાલે તેને સમાજ અનુકૂળ થાય જ નહિ; અથવા અહીં ગમે તેમ