________________ 124 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ, સિવાય અન્ય કક્ષામાં શ્રેય નથી એવો નિશ્ચય ક મતને હોવાથી, પરલેકનું અસ્તિત્વ સ્વીકારવાની આવશ્યકતા એ મતમાં રહી નહિ. સદાચારને માટે જ સદાચાર કરવાનો છે, પરલોકના સુખને માટે નહિ; તેથી સુખને માટે પરલોક સ્વીકારવાની જરૂર પણ રહી નહિ. રમમાં સ્ટઈક મતને સ્થાપનાર પેનેશિયસ કહે કે શરીરની સાથે આત્માને પણ નાશ થાય છે, અને એપિકટેટસ એ મતને અનુમોદન આપે છે. આત્માનું અમરત્વ જે લેકે માનતા તેઓ પણ તેને લીધે કાર્યમાં પ્રવૃતિ થાય છે એ વાતની ના કહેતા. તેથી કરીને થાળી વગાડીને આત્મ-ભોગને ઉપદેશ આપતા આઈક મત તે વિચારની સહાયતા વિના જ વિકાસ પામ્યો છે. તથાપિ એક અન્ય પ્રકારની અમરતાએ રોમના નીતિવેત્તાઓ ઉપર બહુ અસર કરી હતી. આબરૂની, અને વિશેષ કરીને મુઆ પછી મળતી કીર્તિની, ખેવના તેમને બહુ હતી. આથી કરીને તેમના જીવન પરાક્રમી થતાં, અને વાણીમાં પણ તેથી કરીને કાંઈક કૃત્રિમ અને નાટકીય અસર આવી જતી. પરંતુ લેક-અભિપ્રાયની તેમને આવી દરકાર હતી તે ઉપરથી એમ ધારી લેવાનું નથી કે ગ્રીસ અને રેમના લેકમાં દંભ અને ડળ કર્યા વિના ગુપચુપ રીતે સદાચાર આચરવાનો વિચાર પ્રચલિત નહોતે, અથવા પિતાના વિષે લેકેની હલકી ગણનાની અવગણના કરવા જેટલું તેમનામાં નૈતિક સામર્થ્ય નહોતું. ઉલટું લેક-પ્રિયતાના ભોગે પણ માણસે સદાચાર આચરતા અને અત્યંત માન પામતા. સિસેરે કહે કે દેવો અને માણસો ન જાણે તો પણ દુરાચાર કદિ આચરવાને નથી; અને ડોળ અને દેખાવ કર્યા વિના ગુપચુપ આચરેલા સદાચારના જે બીજે કઈ સદા, ચાર પ્રશંસનીય નથી. કીર્તિને માટે નહિ, પણ કર્તવ્યની ખાતર સદાચાર કરવાનું છે. લોકોને રાજી રાખવા કરેલા સદાચારથી તો ઉલટું નીતિ–ભ્રષ્ટ થવાય છે. અપ્રસિદ્ધ માણસ પણ પવિત્ર અને દિવ્ય પુરૂષ હોઈ શકે છે એ વાત કદિ વિસરી જવાની નથી. સુંદર વસ્તુ જાતે જ સુંદર હોય છે; લેકની પ્રશંસાથી તેની સુંદરતા વધી જતી નથી. આવા વિચારે તે વખતે પ્રચલિત હતા. માર્કસ ઓરેલિયસ મુઆ પછીની કર્તિને મિથ્યા ગણતે.