________________ ર૬ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કાળની સન્યાસવૃત્તિ છે. દુ:ખ સહન કરવા માણસો શક્તિમાન થાય, દેખીતા અને પ્રસિદ્ધ વિકારોને દબાવતાં શીખે, વિલાસ માત્રને તજી દે, અને વિકારોને તદ્દન કાબુમાં રાખે-એ તેમની મતલબ હતી. બીજા પ્રકારની કેળવણીને ઉદ્દેશ વાસનાઓને માર્ગ બતાવવાનું હોય છે અને તે હાલના સમયમાં બહુ પ્રચલિત છે. આ પદ્ધતિ સદાચારને આકર્ષક બનાવવાને, કલ્પના અને આબાદીની સઘળી મોહિનીઓ સાથે સારા ગુણને જોડવાને, અને આમ ખબર ના પડે તેવી રીતે વાસનાઓને ધારેલા માર્ગે વાળી લેવાનો, પિતાથી બનતા પ્રયાસ કરે છે. પ્રથમ પ્રકાર લડાયક પ્રજાને અનુકૂળ આવે છે અને તેથી આત્મ-ભોગ અને પરાક્રમનાં કાર્યો થાય છે. બીજો પ્રકાર શાંત અને ઘણું સુધરેલા જમાનાને અનુકૂળ છે અને તેથી કેમળ સદાચારોને સગવડ મળે છે. અને સંભવિત છે કે સુધારાની વૃદ્ધિ સાથે નીતિને પરાક્રમી નમુને ઓછો થઈ જશે. સંજોગના બળે પ્રાચીન પ્રજાઓને પ્રથમ પ્રકારને નીતિને નમુનો ગ્રહણ કરવો પડ્યો હતો, અને તેથી જ ઈક મતવાળા કહેતા કે વિકારે એક જાતને રેગ છે; પરંતુ વિવેક બુદ્ધિનું સ્થાન સર્વોત્તમ છે અને તેને અનુસાર જ મનુષ્યનું વર્તન થવું જોઈએ. હૃદયના વિકાર કદિ સારા હોય જ નહિ એવા વિચારથી પ્રેરાઈ સેનિકા કહે છે કે રહેમ નજરમાં સર્વોત્તમ સદાચાર છે, પણ દયામાં તે દુરાચાર જ છે, ધર્મ અને તેમને જેવો સંબંધ છે તે રહેમ નજર અને દયાને સંબંધ છે. રહેમ નજરમાં ન્યાય હોય છે, દયામાં ન્યાયને ભંગ થાય છે. રહેમ નજર ગુને અને નસીયતના પ્રમાણની તુલ્યના કરે છે; દયા ગુનાને ભૂલી જઈ માત્ર નસીયતના દુઃખને જ નજરમાં રાખે છે. રહેમ નજરમાં વિકારને ગંધ પણ હેતે નથી, દયા વિકારનું જ સ્વરૂપ હોય છે. ડાહ્યા માણસ રહેમ નજર રાખે છે, રોગી માણસો અને નિબળ સ્ત્રીઓ દયા દેખાડે છે. ડાહ્યો માણસ પોતાના જાતભાઈઓને સહાય કરવા જ જનો હોય છે, પણ વિકારથી દોરાઈ ગયા વિના શાંત ચિત્તથી પિતાનું કર્તવ્ય એ કર્યો જાય છે. બીજાની આંખમાં આંસુ જે પિતાની આંખમાં પણ આંસુ આવે એ મનની નિર્બળતા જ છે. અર્થાત હદયગત વિકારે વિવેક