________________ વિધમી મહારાજ્ય. 123 ચોથું–આપણું સ્વભાવનું બંધારણ જ એવું જ છે કે તેથી અમુક - પ્રકારનું વર્ણન આપણું જીવનને ઉંચામાં ઉંચે ઉદ્દેશ થાય છે, અને સુખને ભોગ આપીને પણ તે કર્તવ્ય આપણે કરવાનું છે. કેટલાંક કાર્યો જાતે જ સારાં અને ઉત્તમ છે અને કેટલાંક નીચ અને હલકાં છે એવું પ્રત્યક્ષ જ્ઞાન આપણને આપોઆપ થાય છે અને તે પ્રમાણે વર્તવાનું આપણું પરમ કર્તવ્ય છે. આ ઉપદેશ આંતર વાદીઓને છે; અને તેમાં સુખ કે દુઃખ, દાન કે દંડ, જાત કે ભાત, કે મતમતાંતરને સવાલ જ નથી. સૈને માટે સર્વત્ર નીતના નિયમો સરખા જ છે. આ છેલ્લું પ્રયજન એંઈક મતને માન્ય હતું. સ્વાર્થના હલકા પ્રકાર પ્રત્યે તે સ્ટઈક મતને સ્પષ્ટ અને સંપૂર્ણ તિરસ્કાર હતા. તેને મુખ્ય સિદ્ધાંત જ એ હતો કે જે વસ્તુઓ ઉપર આપણું સ્વામિત્વ ચાલી શકતું નથી તેમના પ્રત્યે આપણે નિસ્પૃહ જ રહેવું જોઈએ. ભાગ્યની કે બક્ષીસ પ્રત્યે મનને આકર્ષાવા ન દેવું એ જ ઉદેશ માનસિક કેળવણીને છે; અને તેથી સદાચારના પ્રયજન તરીકે ડહાપણ કે દુરદેશીને બિલકુલ સ્થાન જ નથી. માટે સાંસારિક વસ્તુઓ મિથ્યા છે; ડાહ્યા માણસના મનને તેવી વસ્તુઓ કાંઈ વિસાતમાં નથી; અને ગમે તેવા દુઃખમાં પણ ડાહ્યા માણસ શાંત અને ગંભીર રહી શકે છે. રોમન રાજ્યમાં જે સમયે આઈક મત પ્રવર્તતે હતા તે સમયે લેકે સાંસારિક લાભ મેળવવા અત્યંત ઉત્કંઠિત રહેતા હતા અને દુરાચારની સાથે દંભ અને ડાળ પણ બહુ વધી પડ્યાં હતાં. ટેસિસના શબ્દોમાં બોલીએ તે, સદાચાર અને મોત સરખાં ગણાતાં હતા છતાં સ્ટઈક મતવાળાઓ લેકેને બિલકુલ થાબડયા વિના પિતાના મતની સં પવિત્રતાને ઉપદેશ આપતા. કીર્તિની આશાએ તેઓ એ કામ કરતા હતા એમ પણ નહોતું, કારણકે આત્માને અમર કરવા માણસની કઈ કામમાં પ્રવૃત્તિ થાય છે એ વાત તેઓ માનતા જ નહતા. આત્માના અમરત્વ બાબત સ્ટેઇક તત્ત્વચિંતકને અભિપ્રાય સંદિગ્ધ અને અનિશ્ચિત હતો. માનુષી આત્મા ઈશ્વરને એશ હેવાથી મુઆ પછી તે એશ પિતાના મૂળ ચૈતન્ય સાથે ભળી જાય છે એવી માન્યતા પ્રચલિત હતી. સદાચાર