________________ આચરણને સ્વભાવસિદ્ધ ઇતિહાસ. 11 એપિક્યુરસને મત અને સ્ટોક મત તેથી. તે સમયના કેટલાક વિચાર એપિક્યુરસના અનુયાયીઓની પેઠે જડવાદી અને નાસ્તિક હતા, અને કેટલાક આઈક મત વાળાની પેઠે અને પ્લેટોના અનુયાયીઓની પેઠે શુદ્ર ચૈતન્યવાદી અને આસ્તિક હતા. જડવાદીઓ કહેતા કે ધાસ્તીને લીધે લોકે દેવેનું અસ્તિત્વ માને છે; સૃષ્ટિના ક્રમમાં ચતુર યોજના કે દુરદેશી જેવું કશું નથી. પરમાણુના સંમેલનથી સૃષ્ટિ એની મેળે ઉપજી છે, અને ક્રમે કરીને જીવ સૃષ્ટિ એની મેળે થાય છે; માટે ધર્મ ભાવનાને કોઈ પણ પ્રકાર માત્ર કલ્પનાને ભ્રમ જ છે. ચૈતન્ય વાદીઓ ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા, પણ સર્વાત્મવાદની પેઠે જગત અને ઈશ્વરને અભેદ માનતા; જગતમાં દુરઅદેશી તેઓ માનતા, પણ પૈરાણિક દેવને તુચ્છ ગણી તેમની કથાઓ સમજાવી દેવાનો પ્રયાસ કરતા. લિનિ કહે કે સૃષ્ટિ અને આકાશમાં બધી વસ્તુઓ સમાઈ જાય છે, માટે તેમને જ અનાદિ, અનંત, વિષ્ણુ અને અવિનાશી ઈશ્વર ગણુ જોઈએ; અને તેથી વિશેષ માણસથી જાણી શકાય એમ નથી. અને તેથી વિશેષ શોધવામાં લાભ પણ નથી. સિસેરેએ આ ઈશ્વરને જડ નહિ પણ અવિકારી ચૈતન્ય માન્યો. સેનિકાએ તેને ઇંદ્ર કહી જગતને સ્વામી અને આદિ કારણ માન્યો. કેટલાક સ્ટઈક લેકે કહેતા કે જ્યારે દેવ, માનવ અને આખું જગત આદિ ચેતનમાં વિલય પામશે ત્યારે તે પ્રભુ જ માત્ર સર્વ શક્તિમાન રહેશે. અર્થાત દેવદેવીઓની ધાસ્તી રાખવાની કોઈ જરૂર નથી. આ વિચાર પ્રસરતાં દેવ-વાણ ઉપરથી પણ આસ્થા ઉઠી ગઈ, અને ભવિષ્ય-કથનને પ્રચાર ઓછો થઈ ગયેવ્યવહારમાં સફળ થાઓ વા ન થાઓ, પણ મનુષ્ય-જંદગીનું સાર્થક તો પિતાનું કર્તવ્ય કરવામાં જ છે; પિતાના સદાચારથી જ માણસને અંતરમાં સતિષ રહે જોઈએ; તેથી પિતાના નસીબમાં ભાગ્યની બક્ષીસ છે કે કેમ? તે જાણવા દેવ-વાણીને આશ્રય માણસે શા માટે લેવો? અનીતિમાન દેવો નીતિમાન માણસને શું કહેવાના કે આપવાના હતા ? પરંતુ આ ઉપરથી એટલું જ સિદ્ધ થાય છે કે તત્વચિંતકાના વિચાર સામાન્ય જનમંડળના વિચારથી ઘણા જૂદા હતા. તે વખતે છાપવાની.