________________ આચરણને સ્વભાવસિદ્ધ ઇતિહાસ. 111 તપાસ પણ હજી સુધી થઈ નથી. પિતાની રૂચિ કે ખુબી માણસને સર્વોત્તમ લાગે એ સ્વાભાવિક છે. અને તેથી પોતાના માપથી બીજાને એ માપવા લાગે છે અને જે તેનાથી ભિન્ન હોય તેને અપૂર્ણ, હલકું, કે થોડી કિંમતનું ગણે છે. સામાન્ય રીતે આ બાબતને ખુલાસે લેકે મિથ્યાભિમાનથી કરે છે, પણ ઘણાખરા પ્રસંગે તે તેનું કારણું કલ્પનાની નિર્બળતા જ હોય છે, કારણકે ઘણાખરાં માણસોને પિતાથી કેવળ ભિન્ન ચારિત્ર્ય સમજતાં ઘણી જ મુશ્કેલી લાગે છે. સારો માણસ સામાન્ય રીતે પિતાની જાતિના પણ અપૂર્ણ માણસ પ્રત્યે ઘણી દીલજી બતાવી શકે છે; પરંતુ એ જ માણસ પ્રમાણમાં વધારે સંપૂર્ણ પરજાતિના માણસ પ્રત્યે એટલી દલસોજી બતાવી શકતો નથી. તિહાસિક કારણ કે સ્વાર્થની પ્રાસંગિક ભિન્નતાની સાથે, આ પણ પ્રજા પ્રજાની વચ્ચે ગાઢમૈત્રી જામતી નથી તેનું એક કારણ છે; વિશેષે કરીને જ્યાં જાતિ-ભેદ અને પ્રજા–ભેદ સાથે હોવાને યોગ બને છે ત્યાં આ કારણ બહુ પ્રબળ માલમ પડે છે. - દરેક પ્રજામાં સદાચારને ભિન્ન ભિન્ન નમુને પ્રચલિત હોય છે અને દરેક પિતાના સદ્દગુણને વખાણી પોતાના પાડોશીના દુર્ગુણને વખોડે છે, આમ “ભેળું રહેવું અને ભાંડણાં કરવાં” એ પ્રકાર થઈ જાય છે અને તેથી પ્રજા પ્રજામાં ઘણી કડવાશ વધે છે. સમજુ માણસો એ સ્થિતિમાંથી તરત મુક્ત થઈ જાય છે એ વાત ખરી છે, પરંતુ સામાન્ય લેકે તે એવી જ સ્થિતિમાં રહે છે. દરેક માણસની વર્તણુકને આધાર કાંઈક તેના પિતાના સ્વભાવ ઉપર અને કાંઈક બાહ્ય સંજોગો ઉપર રહે છે. સમાજના પ્રચલિત વિચારને કાંઈક પણ માન આપ્યા વિના માણસને ચાલતું નથી. લડાયક સમયમાં નરમાશ અને ગરીબાઈની હાંસી થાય છે, અને તેથી તે ગુણેને તે સમયમાં ખીલ વાને અવકાશ રહેતો નથી. તેથી બાહ્ય સંજોગોની અનુકૂળતા થયા વિના નવા સદાચારને પ્રવેશ સમાજમાં એકદમ કરાવી શકતો નથી. તેથી કરીને કઈ રીતરિવાજને ન સુધારે દાખલ કર્યા પહેલાં માણસોને પ્રથમ તે