________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 109 માંથી સદાચારના ભિન્ન ભિન્ન પુષ્પ ખીલી નીકળે છે. સ્ત્રીમાં સદગુણ ગણાય અને પુરૂષમાં દુર્ગણ ગણાય એ ગુણ કેઈ નથી; પરંતુ સંપૂર્ણ સ્ત્રીમાં સગુણોની જે વ્યવસ્થા હોય છે તે સંપૂર્ણ પુરૂષને માટે કેવળ અનુચિત થાય છે. મતલબ કે સ્ત્રી અને પુરૂષના સદ્દગુણ સમાન હોવા છતાં કેટલાકમાં સ્ત્રીઓ ખાસ કરીને દીપી નીકળે છે, અને કેટલાકમાં પુરૂષો ખાસ કરીને દીપી નીકળે છે. શારીરિક સુંદરતાની બાબતમાં પણ એમજ છે. પુરૂષની સુંદરતામાં સ્ત્રીની સુંદરતા હોતી નથી; બાળકની સુંદરતા પાકટ મનુષ્યના કરતાં જુદા જ પ્રકારની હોય છે; દક્ષિણી સ્ત્રીઓની સુંદરતા અને ગુજરાતની સ્ત્રીઓની સુંદરતામાં ભેદ હોય છે. ચહેરાના સઘળા નમુના જેમ સુંદર નથી હોતા, તેમ આચરણના બધા નમુના સારા નથી હોતા; પરંતુ જેમ સુંદરતાના ભિન્ન ભિન્ન મરેડ હોય છે, તેમ સદાચારના નમુના પણ ભિન્ન ભિન્ન હોય છે. આ અતિ અગત્યના સત્ય વિષે બીજી રીતે બોલીએ, તે હકીકત એમ છે કે જે કોઈ માણસમાં કોઈ એક સદાચારની ખામી જણાય તો તે ઉપરથી એમ સિદ્ધ થતું નથી કે બીજી બાબતમાં પણ તે નીતિમાન અને સદાચારી નથી હોતું. છતાં દરેક જમાનાના આચરણના મૂળમાં કોઈ એક સદાચાર એવો રહેલે હોય છે કે જેના ઉપર લેકોની દષ્ટિ ચાલી રહે છે, અને જે માણસ તે સદાચાર ઉપર બીલકુલ લક્ષ આપતું નથી તે માણસ પિતાની નૈતિક કેળવણીને કેવળ બેદરકાર રહે છે એમ કહેવામાં કાંઈ અને ડચણ નથી. અર્થાત આ મૂળભૂત સદાચાર તે દરેક માણસમાં હેજ જો ઈએ. દરેક જમાના, દરેક પ્રજા અને મનુષ્યના દરેક વર્ગમાં આ મૂળભૂત સદાચાર ભિન્ન ભિન્ન હોય છે. પ્રાચીનકાળનાં મોટા પ્રજાસત્તાક રાજ્યોમાં તે સદાચાર સ્વદેશાભિમાન હતા, કારણ કે તેમની નજરમાં રાજ્યના હિતમાં સર્વ કર્તવ્ય સમાઈ જતાં હતાં. આપણામાં પ્રજાકીય કલ્યાણની કેવળ બેદરકારીની સાથે બીજા ખાનગી સદાચાર કદાચ બહુ રહેતા હશે. મઠના કાળમાં, અને કાંઈક જૂદે રૂપે શૈયૉન્વિત નારી-પૂજાના સમયમાં ભક્તિપૂર્વક આતાધિનતા મૂળભૂત સદાચાર ગણુતે હતો. પરંતુ હાલના સમયમાં એ ગુણ