________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 57 વેગળે એકલી પડેલી પ્રજામાં જન્મવા કરતાં સુધારાના તોફાની તરફડીઆ ની વચમાં જન્મવું વધારે ઉત્તમ છે. જનહિતવાદીઓ ભૌતિક સુધારાને મહિમા બહુ વર્ણવે છે; પરંતુ તે સુધારામાં એવું તત્વ રહેલું છે કે જેને ખુલાસો કેવળ સુખના સિદ્ધાંતથી થઈ શકતા નથી. વળી શારીરિક આનંદ કરતાં માનસિક આનંદને લોક-અભિપ્રાય બેશક બહુ ઉત્તમ લેખે છે. હવે આનંદનું મૂલ્ય તેમાંથી મળતા સુખના જથ્થાથી જે અંકાતું હોય તે આ વાતને ખુલાસે થઈ શકતું નથી. ખરું છે કે માનસિક આનંદ નાનાવિધ અને ચિરસ્થાયી હોય છે. પણ તેમની પ્રાપ્તિમાં પરિશ્રમ વધારે પડે છે અને તેના આનંદ ઘણાં થોડાં માણસ મેળવી શકે છે. એક પ્રકારનાં માણસો શિકારાદિ અંગકસરતમાં મોજ માણે છે, અને બીજા પ્રકારનાં માણસો ઉચા પ્રકારની માનસિક કેળવણીમાં આનંદ માને છે; કિશોરાવસ્થાની મોજમાં ઘણું કરીને પાશવ વૃત્ત હોય છે અને બેસતી પાકટ અવસ્થામાં તે ઘણું કરીને માનસિક હોય છે. પરંતુ સુખના આ જુદા જુદા ધોરણમાં કઇ શરણ તમને એવું નહિ દેખાય કે જેના વડે તે બે વચ્ચે મનુષ્યો જે મોટું અંતર રાખે છે તેને ખુલાસો થઈ જાય. કેઈ ચિતારા કે નવલકથાકારને સંપૂર્ણ સુખનો શ્રેષ્ઠ નમુનો ચિતરવાનું મન થાય તે ગંભીર વિચારકને દૃષ્ટિમાં રાખી એ કામ તે કરશે નહિ. માનસિક અવસ્થાઓ સાથે શરીર સંબંધ કેવો છે એ પ્રશ્નમાં ઉડતું ઉતરવાનું અત્ર પ્રયોજન નથી. તથાપિ માનસિક દશાઓ કરતાં શારીરિક દશાઓને આપણા સુખ ઉપર વધારે અમલ ચાલે છે એમ કહેવામાં અડચણ નથી. પહેલું સુખ તે જાતે નર્યા. તંદુરસ્તી હોય તે બધા સુખમાં સુખ લાગે છે. મંદવાડમાં સાકર પણ કડવી લાગે છે. પરંતુ તંદુરસ્તી એ શરીરની અવસ્થા માત્ર છે. માનસિક દુઃખ કરતાં શારીરિક દુઃખની તીવ્ર વેદનાથી આપણું સ્વભાવની શક્તિઓ વધારે બહેર મારી જાય છે. માનસિક કે નૈતિક કારણોની આવી અસર ઘણું કરીને મનુષ્યના મોટા ભાગ ઉપર થતી નથી. સેક્રેટિસથી માંડીને મિલ પર્યત મોટા મોટા નીતિશાસ્ત્રવેત્તાઓ કરતાં, બેભાન-ઉત્પાદક દવા પ્રથમ રોધી કાઢનાર અમે