________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. નિરંતર, અને કેટલીક બાબતમાં તે નિયમિત અને આવશ્યક ફેરફાર પામતી જાય છે. વળી અમુક અમુક સમાજમાં નૈતિક સુધારાની વાત આપણે કરીએ તે ભલે, પરંતુ મેટા પાયા ઉપર કેવળ શુદ્ધ નૈતિક સુધારે કદિ - બનતે નથી, અગર કવચિત જ બને છે. નુકસાન કરતાં કદિ લાભ વધારે હૈય, પણ દરેક પ્રાપ્તિમાં કાંઈક ખોવાનું તે હોય જ છે. સુધારાની દરેક દશાના ખાસ સદાચાર હોય છે, અને જેમ જેમ સુધારે આગળ વધતું જાય છે તેમ તેમ આગલા સદાચાર નષ્ટ થતા જાય છે. જુલમગારની ધુંસરી નીચે કચડાતી પ્રજાને જોઈ સારા માણસને દુઃખ થયા વિના રહેતું નથી, પરંતુ તે દિશામાં શુદ્ધ ઉત્સાહ પૂર્વક જેટલાં આત્મ-ભોગ, ધૈર્ય અને ભાતૃભાવનાં આચરણ થાય છે તેટલાં બીજી કઇ દશામાં દશ્ય થતાં નથી; અને સંભવિત છે કે સ્વતંત્રતાના વિજયથી આવાં આચરણ ઓછાં થઈ જશે એટલું જ નહિ પણ તે કરવાની માણસોની શક્તિ પણ નિર્બળ થઈ જશે. લડાઈ એ બેશક ભયંકર સંકટ છે, પરંતુ તેમાં મનની મેટાઈને સદાચાર બહાર ખીલી આવે છે, જે શાંતિના સમયમાં ચીમળાઈ અસ્ત પામશે. જુગારથી પણ માણસે ધીરજથી નુકસાન ખમતાં અને રાગદેષને અંકુશમાં રાખતાં શીખે છે. વળી હાલની પ્રજાઓમાં સુધારાની વિવિધતા એટલી બધી છે કે જૂદા જુદા દેશમાં મુસાફરી કરવાથી જૂદા જૂદા કાળને અનુભવ થઈ જાય છે અને સુધારાને દરેક પ્રકાર આપણી નજર સમ્મુખ બનતે જણાય છે. પરંતુ વિદ્યાની સરળતા અને અનૂપ વૃદ્ધિ, મુસાફરીના સાધનોની ચકિત કરે એવી સાનુકૂળતા અને રાજકીય અને સૈનિક કારણોને લીધે યુરોપના પ્રબળ અને પ્રજાકીય રાજ્યોની એક-સંપી–આ બધાં કારણોને લીધે આ ભેદ હવે ત્વરાથી ભૂંસાતે જાય છે. મુખ્ય ફેરફાર એકંદરે લાભકારક હોય છે એમ જે માને છે તેને પણ આ ઉથલપાથલમાં ખેદકારક અંશ ઘણો છે એમ લાગે છે. યુરેપનાં ઘણુંખરાં મોટાં રાજ્યો કરતાં કેટલાંક નાનાં નાનાં રાજ્યની આર્થિક સંપત્તિ વધારે છે, વધારે સુખી છે, કેટલાકમાં તે સામાજીક સ્વતંત્રતા, શાંતિ અને માનસિક ઉન્નતિ પણ વિશેષ છે અને સતિષ, શાંતિ અને પશ્ચાદર્શ પૂજ્ય-બુદ્ધિ કે જે અર્વાચીન સુધા