________________ 104 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, રામાં મુખ્યત્વે કરીને નથી હોતાં તે ગુણોનાં આ નાનાં રાજ્ય ઘર હોય છે. આ રાજ્યોની સહીસલામતી સચવાઈ રહી છે એ વાત યુરોપીય પ્રજાએના પરસ્પર નૈતિક વ્યવહારનું શુભ ચિહ્ન છે. મની સંસ્થાના અત્યાચારથી ખરાબી થઈ છે એ વાત ખરી, તથાપિ અમુક પ્રકારનાં માણસોને ખાસ કરીને મઠમાં આશ્રમ મળતું હતું, અને તે રીતે દુનિયાને બેશક એ સંસ્થાથી સુખ હતું; તેથી તે સંસ્થાને યુરોપમાંથી જડમૂળથી કાઢી નાખવાના પ્રયાસમાં કેવળ વૈર અને ટૂંકી દૃષ્ટિ છે, કારણ કે તે સંસ્થા નાશ પામવાથી ઉદ્યોગ-વૃત્તિના અત્યાચારને અટકાવનારું કોઈ સાધન રહેતું નથી. ચાલતા સુધારાનું શિખર પોતે પ્રાપ્ત કરે એ વાત એક પ્રજાને લાભકારક છે. પણ આખી આલમ તે ઉચ્ચ દશાએ પહોંચે તેમાં એકંદરે એને લાભ છે કે કેમ? એ અતિ શંકા પડતી વાત છે. નીતિના સંપૂર્ણ વિકાસને માટે અતિ ભિન્ન ભિન્ન સંજોગે અત્યંત આવશ્યક છે. એટલા માટે રાજ્ય-વ્યવસ્થામાં જાત જાતના પ્રતિનિધિઓ અને દુનિયામાં જાત જાતનાં રાજ્યો હોવાની આવશ્યકતા છે, કારણ કે તેથી કરીને નીતિ અને સુધારાની ભિન્ન ભિન્ન દશાઓ આઘાત અને પ્રત્યાઘાતના નિયમથી અંકુશમાં રહે છે અને તેથી એકંદરે તેમનું સંપૂર્ણ સ્વરૂપ ઉપજે છે. બુદ્ધિના અને નીતિના વિકાસને એક બીજા સાથે કે સબંધ છે તેની સમજણ હવે વાંચનારને કાંઈક પડી હશે. તે સંબંધી હાલ મેટા પ્રશ્નો ઉભા થાય છે. કેટલાક કહે છે કે મનુષ્યની ઉન્નતિને ઇતિહાસ લખનારે કેવળ બુદ્ધિ વિષયક તને જ લક્ષમાં રાખવા જોઈએ, કારણ કે નીતિનું તત્વ તે સર્વત્ર સરખું અને સ્થાયી જ હોય છે, તેથી તેનો વિકાસ શ્રેષ્ઠ શકે જ નહિ, અને તેથી નીતિને ઈતિહાસ લખો બને નહિ. જ્યાં નિરંતર ફેરફાર થતા હોય ત્યાં જ ઈતિહાસ સંભવે છે. હવે નૈતિક આચરણના મુખ્ય તો અવિકૃત છે એ વાત ખરી, તથાપિ તેના ધોરણમાં નિરંતર ફેરફાર થયાં કરે છે અને અમુક અમુક સદાચારની કિંમત જાદે જા સમયે લેકેએ જૂદી જાદી આંકી છે, અને તેથી આચરણને સામાન્ય ઈતિહાસ લખે સંભવિત બને છે. કેટલાક કહે છે કે આવા ફેર