________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. 105 ફાર બને છે અને સંસારમાં એ ઘણા અગત્યના છે એ વાત ખરી, તથાપિ તેનાં કારણે તે બુદ્ધિવિષયક જ હોય છે, કારણ કે જ્ઞાનમાં ફેરફાર થયે જ આચરણમાં ફેરફાર પડે છે. આ વિચારમાં કાંઈક સત્ય છે, તથાપિ નિયમ તરીકે તે સ્વીકારી શકાતું નથી. બુદ્ધિમાં અત્યંત તેજસ્વી વ્યક્તિઓ કે જમાના નીતિમાં સર્વોત્તમ થયા નથી એ જાણીતી વાત છે; અને માનસિક કે ભૌતિક ઉચ્ચ સુધારાના સમયમાં નીતિની ભ્રષ્ટતા ઘણું કરીને બહુ હોય છે. કેટલીક બાબતમાં તે માનસિક આબાદીના સંજોગે નીતિની વૃદ્ધિને પ્રતિફળ હોય છે. મોટાં શહેરમાં જ્ઞાન અને ભૌતિક આબાદી ઘણી હોય છે, પણ ત્યાં જ દુરાચાર વધારે થતો હોય છે. ઘરેબે અને મળતાવડાપણું પણ ગામડાના લેકમાં હોય છે તેવું શહેરીઓમાં નથી હોતું. શહેરીઓ, સ્વાથી હોય છે, ગામડીઆ પરગજુ હોય છે. કેળવાએલા માણસના ચિત્તમાં સ્થળે સ્થળે શંકાઓ અને દલીલો સુરે છે અને તેથી દઢ આસ્થામાંથી ઉપજ નીતિને પ્રબળ ઉત્સાહ એનામાં હેત નથી. દુરાચાર કરતાં ગુનાને દબાવી દેવામાં સુધારે એકંદરે વધારે સમર્થ નીવડે છે. સભ્યતા, ઉદારતા અને સામાજીક સદાચારને સુધારે બહુ માફક આવે છે, અને જ્યાં ગુલામગીરીની પ્રથા નીકળી ગઈ હોય છે ત્યાં ઔદ્યોગિક ગુણ તેનાથી કેળવાય છે; પણ આત્મ-ભોગ, ઉત્સાહ, ભક્તિ અને પાતિવત્યના સદાચાર પ્રત્યે તેની અનુકૂળતા એટલી બધી હોતી નથી. પરંતુ બુદ્ધિ-વિષયક કારણે સુધરેલી જીંદગીના પાયાભૂત હોવાથી સુધારાએ ઉપજાવત્રાં નૈતિક પરિવર્તનનાં પણ તે છેવટનાં કારણે લેખી શકાય. કેટલીક વખત બુદ્ધિ-વિષયક કારણોની પાધરી અસર થાય છે, પરંતુ ઘણું ખરું તે તેમની આડકતરી અસર જ થાય છે; અર્થાત જીદગીમાં એવી ટેવ તેમનાથી પડે છે કે તેમને લીધે કર્તવ્યના નવા વિચાર આપણમાં ઉપજે છે. માણસનાં આચરણનું નિયમન અભિપ્રાય કરતાં તેમની પ્રવૃત્તિઓથી વધારે થાય છે. સદ્દગુણનો નમુને પ્રથમ સંજોગોમાંથી રચાય છે અને પછી તે નમુના ઉપરથી માણસે પિતાને સિદ્ધાંત બનાવી કાઢે છે. પિતાની ભૂગોળ કે બીજા ખાસ સંજોગોને લીધે એક પ્રજાને લડાયક થવું