________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ અભ્યાસ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ સત્યની ખાતર સત્ય શોધવામાં લેકે પ્રવૃત રહેતાં જાય છે, અને પિતાના એકતરફી અભિપ્રાય કે રાગદ્વેષને છોડી કેવળ સત્ય શોધવાનું કર્તવ્ય તેમને સમજાય છે, અને તવવેત્તા થવા તેઓ ઉમેદ રાખે છે. આ ત્રણ જાતની સત્યતામાંથી છેલ્લી બે સુધારાની અતિ ઉચ્ચ દશાએ જ સમાજને પ્રાપ્ત થઈ શકે છે. તેમાં તાત્વિક સત્યતા તો છેક છેવટે આવી શકે છે. સદાચારનું એ પુષ્પ મોડામાં મોડું ખીલે છે. પરંતુ આ બને જાતની સત્યતાની સ્વાભાવિક ખીલવણીમાં ધર્મગુરૂઓની અસ્વાભાવિક વિરૂદ્ધતાને લીધે અસ્વાભાવિક અંતરાય બહુ નડેલા છે; કારણ કે સેંકડો વર્ષ પર્યત કેથલિક ધર્મ ગુરૂઓએ પિતાના મતની વિરૂદ્ધ જે જે લેખ હોય તેને દબાવી દેવાનો આગ્રહ રાખ્યો હતો; અને જ્યારે તેને દબાવી ન શકતા, ત્યારે તે નિષ્પક્ષપાત વિચારને પાપ કહી વડતા: તેથી આ બે સત્યતાને ખીલવામાં જોઈએ તે કરતાં પણ વિશેષ વાર લાગી છે. - વળી ઔદ્યોગિક કાળમાં બે ગુણે ખાસ કરીને પ્રગટી નીકળે છે. કરકસર અને સટ્ટો અથવા જોખમ ખેડીને વેપાર કરવાની ટેવ. માણસને સુખનાં સાધને મેળવવાની ઉત્કટ ઇચ્છા થાય છે અને તેમની જરૂર તેમને બહુ લાગે છે, અને આ બન્ને ગુણોનું પ્રયોજન તે તે મેળવવાનું જ હોય છે, છતાં બન્નેમાં ગંભીર પ્રકારની ભિન્નતા રહેલી છે. કરકસરનું મુખ્ય લક્ષણ સાવચેતી છે, સટ્ટાનું સાહસ છે. કરકસરથી માણસ નિયમિત, ગભીર મધ્ય સ્થિતિએ રહેનાર, મનોનિગ્રહવાળા અને ધીરજ અને ખંતથી ઉઘોગ કરવાવાળા થાય છે; ટૂંકામાં એક માણસ વ્યવહારમાં વકરવાળો ગણાય છે; પરંતુ વધારે પડતી કરકસરથી માણસ સાંકડા વિચારને, અનુદાર અને હૈયા દુબળો થઈ જાય છે, અને તેથી બીજા પ્રત્યે દીલસોજી અને દયા એ બતાવી શકતા નથી, પરંતુ સટેડિયાની પ્રકૃતિ એથી ઉલટા જ પ્રકારની હોય છે. તરલ, તામસી, આકળે અને અનિશ્ચિત મનને તે હોય છે, અને મેટા અને ઉધાડ દુરાચારમાં પડવાની તેનામાં સંભવિતતા હોય છે, પરંતુ પ્રસંગે પ્રબળ લાગણીઓ, બેટી ઉદારતા અને મનની દઢતા પણ તે બતાવી શકે છે. ઔદ્યોગિક વૃત્તિવાળ સમાજ આ બેમાંથી કયા ગુણવાળા