________________ 98 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જતાં એ વૃત્તિનું સ્થાન ગમે તેટલું શંકાસ્પદ હેય, તથાપિ જે માણસમાં પૂજ્યબુદ્ધિને ગુણ ન હોય તેને સર્વોત્તમતાનું ઉચ્ચ શિખર પ્રાપ્ત થઈ શકતું નથી એવું ભાન થેડા જ માણસને થયા વિના રહેશે. બીજા બધા સદ્દગુણ કરતાં સુંદર’ શબ્દની યથાર્થતા આ વૃત્તિ પ્રત્યે વધારે વાસ્તવિક અને ઉચિત છે. તથાપિ સુધારા વધતાં જે ટેવ માણસેમાં પડતી જાય છે તે ટેવ આ વૃત્તિની વૃદ્ધિને એકંદરે પ્રતિકૂળ હોય એમ જણાય છે. કારણ કે નિરંતર આશ્રિતતાના ભાનથી શ્રદ્ધા જામે છે. વિચારની ધાર્મિક દશામાં માણસો એમ માનતાં હોય છે કે તેમના સંબંધમાં બનતા બધા બના ખાસ રીતે વ્યવસ્થિત થએલા હોય છે અને તેથી તેમાં કોઈને કોઈ નૈતિક મુદો સમાએલે હોય છે. આવી ધાર્મિક દશામાં આ વૃત્તિ પિષિત થાય છે. વળી જ્યાં વૈજ્ઞાનિક જ્ઞાનની દશા એવી હોય કે જેને લીધે માણસો એમ માનતા હોય કે કુદરતને દરેક અવનવે બનાવ દેવની સીધી દરમ્યાનગીરીનું પરિણામ છે અને તેથી કરીને તેમનામાં દીનતા અને ધાસ્તીના આવિર્ભાવ જાગ્રત થાય છે, ત્યાં પણ આ પૂજ્ય મુદ્ધિનું જોર હોય છે. વળી જ્યારે રાજા પ્રત્યે ભક્તિ કિવા પૂજ્યબુદ્ધિ હોય છે, જ્યારે રાજગાદીથી કંટાએલા ભાયાતે ગામેગામમાં લેકેને તાબેદાર રહેવાની અને પિતાને માન આપવાની ટેવ પાડે છે, અને જ્યારે રાજ્યમાં ઉથલપાથલ કરે એવી, સામાજીક કે સંશયાત્મક વૃત્તિનો અભાવ હોય છે. ત્યારે રાજકીય જીવનની આવી અવસ્થામાં પણ આ વૃત્તિનું રાજ પ્રવર્તતું હોય છે, સંજોગોમાં કે માન્યતામાં જયારે કોઈ મેટો ફેરફાર થાય છે, ત્યારે વૃત્તિઓમાં પણ મોટો ફેરફાર થાય છે. પિતાના વિચારમાં માણસ સ્વતંત્ર છે એવી માન્યતાથી દરેક બાબતમાં થતું નિશ્ચયપૂર્વક કથન, પ્રજાસત્તાક રાજ્યની સર્વ-સમાનતા, વિવેચનાની તીણ છરી, પ્રજાના જુદા જુદા વર્ગોને કેવળ કરારની દશાએ લાવી મુકતા આર્થિક ફેરફાર, વસ્તીની સેળભેળ અને આગગાડી ઈત્યાદિની સગવડોને લીધે પ્રાચીન વિચારોના બંધનું તૂટી જવું—આ બધી બાબતે શુદ્ધ, ભક્તિમાન, અને એકમાગ પૂજ્ય બુદ્ધિ કિંવા શ્રદ્ધાની વિરોધી છે. શુભેચ્છા, પ્રમાણિકતા, સાહસ, બુદ્ધિ