________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. 99 વિષયક નિર્મળતા, સ્વતંત્રતાનો પ્રેમ અને વહેમને તિરસ્કાર–આ બધાં ચારે તરફ ઉછરી આવતાં આપણને દેખાય છે. પરંતુ પિતાની શક્તિની અવિશ્વાસી અને બીજાના આધારે જ જીવતી, નિર્મળ, નમ્ર અને ભક્તિમાન આસ્થા કે જેની માત્ર જાદુઈ અસરથી જ કેટલીક બાબતોમાં લોકોના આચરણ અતિ પવિત્ર રહેતાં હતાં. તે આસ્થા હવે શોધી પણ જડતી નથી. કુદરતની ભવ્ય રચનાથી કોઈ કોઈના મનમાં આસ્થાની લાગણી ઉપજે છે; પરંતુ જન સમૂહના મોટા ભાગને એ વાત સિદ્ધ છે કે કુદરતના બનાવો કાયદાને જ આધીન છે, તેથી તે બનાવમાં કાંઈ પણ નૈતિક તાત્પર્ય છે જ નહિ; અને તેથી આસ્થાને અસ્ત પણ લગભગ થઈ ગયો છે. સુધારાની અસર થી મુક્ત રહેલી કોઈ એકાંતવાસી પ્રજામાં જ આસ્થાનું સૌદર્ય નજરે પડે છે. આ સ્થાને લીધે ઉપજેલા કારીગીરીના સુંદર નમુના હાલના નહિ પણ મધ્ય સમયના દેવળોમાં જ દશ્ય થાય છે. મનુષ્યના ઇતિહાસની દરેક દશામાં કેદઈને કોઈ સદાચાર સ્વાભાવિક હોય છે, અને વહેમને કાળ આ નિયમમાંથી મુક્ત નથી; અને તેથી તેના ખાસ સદાચાર સુધારાની દશામાં રહેતા નથી. સ્ત્રી-પુરૂષના સંબંધમાંથી ઉપજતા સદાચાર કે દુરાચાર વિષે બેલતાં બહુ વિચાર રાખે પડે છે; અને વળી ખાસ કારણને લીધે એ ઈતિહાસ અત્યંત અસ્પષ્ટ પણ રહે છે. અત્યાર સુધી જે જે આચરણે આપણે તપાસ્યાં તેમની નૈતિક ઉન્નતિને ક્રમ સ્વાભાવિક નિયમને અનુસાર બહુધા થયે જાય છે અને તેમાં અપવાદ રૂપ સંજોગોની અસર બહુ ઘેડી જોવામાં આવે છે. મીલનસાર ગુણોને વિકાસ, શૌર્ય અને ભક્તિને અસ્ત, અને ઔદ્યોગિક ટેની અભિવૃદ્ધિ-આ ગુણે ઘણું કરીને બધા પ્રકારના સુધારાની સાથે અવશ્ય રહેલા હોય છે અને તેથી દરેક પ્રજમાં તેમની ઉન્નતિના પ્રકાર મુખ્યાંશે મળતા જ હોય છે. પરંતુ લંપટતાના ઈતિહાસમાં ગુલામગીરી, ધર્મ મતે, લગ્નના કાયદા ઈત્યાદિ ખાસ કારણોની અસર થએલી જણાય છે. ખ્રિસ્તિ ધર્મને લીધે આ ક્ષેત્રમાં મેટા ફેરફાર થયા છે તે આપણે પણ જોઈશું. અત્ર તે એ દુરાચાર સંબંધી બે ત્રણે મોટી મોટી હકીકત જ કહેશું.