________________ 100 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. - પ્રથમ તે અનૌરસ બાળકના જન્મના આંકડાથી કે પ્રજાની અનીતિને મત બાંધવે એ ભ્રમજનક છે. તેથી કરીને વિધ્ય વ્યભિચાર ગણત્રીમાંથી રહી જાય છે. વળી કામ વિકારની પ્રબળતા સિવાય કેવળ અન્ય કારણોને લીધે પણ અનરસ બાળકે જન્મે છે અને તેઓ પણ આ ગણત્રિીમાં આવી શકતા નથી. દાખલા તરીકે, ઈગ્લાંડના કેટલાક પરગણુમાં એ અભિપ્રાય પ્રચલિત છે કે લગ્નક્રિયામાં પશ્ચાતદર્શ સદાચાર રહેલે છે, કારણ કે તેથી લગ્નની પૂર્વે કરેલી અનીતિનું આચ્છાદન થઈ જાય છે. વળી કેટલેક ઠેકાણે લગ્નની કાયદેસર કે ધાર્મિક ક્રિયા કર્યા વગર રખાતને રિવાજ હોય છે. આવી વાતોને માટે આપણને ગમે તેટલે શોચ થાય, પરંતુ તેટલા ઉપરથી એમ તે ન જ કહી શકાય કે તે પ્રજામાં કામને વિકાર કેવળ નિરંકુશપણે વરતે છે. સ્વીડનમાં અનૌરસ બાળકે ઘણાં જન્મે છે, પણ તેનું કારણ એ છે કે ત્યાં લગ્ન કરવામાં કાયદાની મુશ્કેલીઓ પણી આવે છે. વળી માણસ માણસની કામ વૃત્તિમાં પણ ભેદ હોય છે, કેન્ચ પ્રજાની પેઠે કેટલીક ગમાર, હાંસીખોર અને દેખાવ કરવાની શેખીલી હોય છે; પેન કે ઈટલીની પ્રજાની પેઠે કેટલીક ચૂર્ણયમાન, શિથિલ અને રસિક હોય છે; અને ઉત્તર તરફના કેટલાક દેશોમાં તે વૃત્તિ લજજાળ અને ગુપ્ત હોય છે. આ સઘળા વ્યભિચારના પ્રકાર છે, છતાં આંકડાના હિસાબમાં આવી શકે એવા નથી; અને તેમ છતાં સમાજના આચરણ અને રીતભાત ઉપર દરેકની ભિન્ન ભિન્ન અસર થાય છે. વળી જૂદા જૂદા દેશની આબોહવાની જૂદી જૂદી અસર કામ-વૃત્તિ ઉપર થાય છે એ વાત તે નિઃસંશય છે, પણ ઉપરાંત તેથી સ્ત્રીઓની પદવી, ચારિત્ર્ય અને રૂચિઓ ઉપર આડકતરી રીતે જબરી અસર થાય છે; કારણ કે સ્ત્રીઓએ ઘરમાં જ રહેવું કે બહાર હરવું ફરવું એ બાબતને આકાર દેશની હવા ઉપર બહુ રહેલું છે, અને તેથી કરીને જે વર્ગમાં શરીર સૈોંદર્યની ખાસ બક્ષીસ હોય છે તેના વર્તનમાં પણ ઘણા ફેર પડી જાય છે. આ પ્રમાણે ઉત્તર તરફના દેશોમાં સૈદર્યની જે છઠ્ઠા વખણાય છે તેને આધાર આકૃતિ ઉપર નહિ પણ રંગ ઉપર રહે છે. ચેહેરાની તેજી