________________ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ધવું, અને કેવળ ભક્તિને ઠેકાણે સ્વદેશાભિમાન અને સ્વતંત્રતાના ઉત્સાહનું આગમન-આ ફેરફાર કરતાં વધારે સ્પષ્ટ બીજા કોઈ દીસી આવતા નથી. વળી સુધારાની વૃદ્ધિ સાથે સત્ય બોલવાને સદાચાર પણ ઘણું કરીને વધતું જાય છે. કોઈ જૂઠુ ન ભલે એટલે તે સત્ય બોલ્યો એવો સત્ય રાબ્દને અર્થ અહીં ગણવાને નથી. જે માણસ જૂઠું તે ન જ બોલે; પણ સત્ય સમજવામાં જે જે હકીકત ઉપયોગી અને આવશ્યક હોય તે બધી હકીકત જે છૂપાવે નહિ અગર છૂપાવવાનો પ્રયત્ન ન કરે, અથવા પ્રમાણિકતાથી પૂરેપૂરી તપાસ કર્યા વગર જે માણસ નિશ્ચયપૂર્વક કઈ બાબતમાં બોલે નહિ, તે જ માણસ સત્યવાદી છે એમ સમજવું. આવી સત્યતા. દેને કરેલી માનહુકમાં ઘણું કરીને પ્રથમ પળાએલી જોવામાં આવે છે; અને કોઈ પણ ધર્મની કિશોર અવસ્થામાં માનતા ઈત્યાદિ બહુ થાય છે. પણ પછી સુધારે વધતાં આ સત્યતા બીજી ત્રણ રૂપે પળાતી જોવામાં આવે છે. ઔદ્યોગિક, સામાજીક અને તાત્વિક. આપેલું વચન કે કરેલ વાયદો જે બરાબર પાળે તેનું સત્ય ઔદ્યોગિક સમજવું. કેટલીક વખતે લડાયક પ્રજામાં આબરૂના વિચારને લીધે આ સત્યની પ્રબળ લાગણી હોય છે; તથાપિ વેપારી પ્રજાને ઘણું કરીને આ ખાસ સદ્દગુણ હોય છે; કારણ કે ઔદ્યોગિક સાહસમાં (જૂઠું બોલવું હોય તે) છળ કપટ માટે લાલચોના પ્રસંગે તે ઘણા મળી શકે છે તે પણ પરસ્પર વિશ્વાસની, અને તેથી કરીને યથાર્થ બોલવાની, એટલી બધી આવશ્યકતા રહે છે કે માણસના મનને તે ઘણાજ અગત્યના ગુણ લાગે છે. એવી સ્થિતિમાં, સારા નરસા માણસનું પારણું આ ગુણને લીધે વધારે થાય છે, અને જે માણસમાં એ ગુણ ન હોય તેની ગણના જ કાંઈ થતી નથી. તેથી કરીને વેપારમાં જ્યાં છળકપટ ઘણાં થતાં હોય છે ત્યાં પણ સિદ્ધાંતમાં તે આ ગુણની સર્વોત્તમતા સ્વીકારવામાં આવે છે, અને નીતિમાન રહેવા ઇચ્છતો. માણસ આ ગુણ પ્રથમ સેવે છે. જે પ્રજામાં ઔદ્યોગિક સાહસને પવન સખત વાત હોય છે તે પ્રજા ખંતથી આ ગુણને સેવે છે; અને