________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. સુધારાની અતિ ઉચ્ચ દશાએ પહોંચ્યા પછી જ તે કરી શકે છે. આમ હોવાથી, સુધારાની દશાને યોગ્ય નૈતિક ઉત્સાહમાં પણ કામ હોય છે. તે આમ નૈતિક ઉન્નતિના ક્રમના સામાન્ય નિયમોનું જ્ઞાન આપણને થાય છે, પણ આ જ્ઞાન ગણિતના જ્ઞાન જેવું ચોક્સ અને અક્ષર નથી હોતું; છતાં તેઓ સત્યની આસપાસમાં જ હોય છે. નૈતિક ઉન્નતિના નિયમનું આપણું જ્ઞાન આબેહવાના નિયમોના જ્ઞાન જેવું છે. વિષુવવૃત્તની નજીક કે દૂર જેમ જેમ આપણે જઈએ તેમ તેમ તેની આબોહવા કેવી હોવી જોઈએ તે, ગરમીના સામાન્ય નિયમોને આધારે આપણે આગળથી કહી શકીએ છીએ, અને એકંદરે એ નિયમે સાચા પણ માલમ પડી આવે છે. તથાપિ, કે દેશની સપાટી ઉંચી હોય, અગર મોટા પર્વની હાર તેમાં હોય, અગર દરિયાની નજીક તે હેય, તે તે નિયમ કાંઈક ખોટા પણ પડે છે. નૈતિક પરિવર્તનના ઈતિહાસમાં પણ એમજ છે. ધાર્મિક કે રાજકીય સંસ્થાઓ, ભૂગોળ વિષયક હાલતે, રૂહ થએલા સંપ્રદાયે કે રીવાજો, તેથી ઉપજતા અમુક સહજ કંટાળા કે પ્રેમઆવાં આવાં અનેક કારણોને લીધે નૈતિક ઉન્નતિમાં અનેક પ્રકારે જુદાં જુદાં વિનિ કે લાભ હાંસલ થાય છે અને તેથી તેના કમને સામાન્ય પ્રવાહ કાંઈક બદલાઈ જાય છે. અત્ર આશય માત્ર એટલું જ છે કે આ રણને સ્વભાવસિદ્ધ ઇતિહાસ સત્ય વસ્તુ છે, અર્થાત આપણું નૈતિક વૃત્તિઓ એક સ્પષ્ટ પ્રવાહમાં નિયમે કરીને ખીલેલી છે. બીજી રીતે બોલી. એ તે કેટલાક સદાચારના સમો એવા છે જે અસુધરેલા લોકેના બાહ્ય સંજોગ અને માનસિક દશાઓમાંથી એની મેળે પ્રગટી નીકળે છે, અને બીજા કેટલાક એવા છે કે જે નિયમે કરીને સુધારાના વાસ્તવિક ફળ તરીકે મનુષ્યને પ્રાપ્ત થાય છે. જંગલી લેકાના સદગુણોને સુધરેલા માણસો પણ સ્વીકારે છે; પરંતુ તેમના જેટલી અગત્યતા તેઓ તેમને આપતા નથી અને તેથી સંપૂર્ણ અંશે તેમને આચરણમાં તેઓ મુક્તા નથી. આમ નૈતિક અભિપ્રાય હરહમેશ બદલાતા જ જાય છે, અને આ પરિવર્તનમાં શોર્ય અને સહનશીલતાનું ધીરેધીરે અસ્ત થવું, દયા અને ઉદાર વૃત્તિનું